આ 7 સ્થળોએ મકાનોના વધી જશે રાતોરાત ભાવ! વિદેશીઓ પણ ભૂલા પડે તેવા બનશે આઈકોનિક રોડ

Property Rate In Gujarat: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના એક નિર્ણય બાદ અમદાવાદમાં જમીનના ભાવ રાતોરાત વધી જવાના છે. એટલે કે દુકાન, મકાન, જમીન સહિત તમામના ભાવમાં વધારો થઈ જવાનો છે અને તેના પાછળનું કારણ અમદાવાદમાં બનનાર 7 સ્થળોએ આઈકોનિક રોડ છે. અમદાવાદ શહેરમાં આઈકોનિક સિટી એન્ટ્રી ગેટ બાદ 7 સ્થળોએ આઈકોનિક રોડ બનવા જઈ રહ્યા છે, જેના કારણે શહેરની સુંદરતામાં ચાર ચાંદ લાગી જવાના છે.

1/5
image

અમદાવાદ શહેરમાં સાત સ્થળોએ આઇકોનીક રોડ બનાવવામાં આવશે. જેમાં ઍરપોર્ટથી હાંસોલ જવાના માર્ગ ઉપર બનાવવામાં આવેલા આઇકોનીક રોડ બાદ વધુ સાત સ્થળોએ આઇકોનીક રોડ બનાવવામાં આવશે. 350 કરોડના ખર્ચે કુલ 21 કિલોમીટરના સાત આઇકોનીક રોડ બનશે.

2/5
image

એરપોર્ટ સર્કલથી દફનાળા જંકશન સુધીના માર્ગ ઉપર 3.5 કિલોમીટરનો રોડ બનશે. ત્યારબાદ નરોડા મુક્તિધામથી દહેગામ જંકશન ખાતે અઢી કિલોમીટરનો આઇકોનીક રોડ બનશે. કેનયુગ ચાર રસ્તાથી શ્યામલ ક્રોસ રોડથી એસજી હાઇ-વે સુધીનો 3.3 કિલોમીટરનો આઇકોનીક રોડ બનાવવામાં આવશે.

3/5
image

ઇસ્કોનથી પકવાન જંકશનનો દોઢ કિલોમીટરનો રોડ આઇકોનીક બનાવવામાં આવશે. વિસત સર્કલથી તપોવન સર્કલના અઢી કિલોમીટરના રોડને આઇકોનીક રોડ બનાવવામાં આવશે. કેશવબાગથી પકવાન જંકશનના સવા બે કિલોમીટરનો આઇકોનીક રોડ બનાવવામાં આવશે. આશ્રમ રોડનો 5 કિલોમીટરનો રોડ આઇકોનીક બનાવવામાં આવશે. આઇકોનીક રોડ ઉપર થીમ બેઝ લેન્ડ સ્કેપ ઉભું કરાશે. 

4/5
image

આઇકોનીક રોડ પર સ્ક્રેપ લાઇટિંગ અને લાઈટ પોલ પણ આધુનિક વાપરવામાં આવશે. વેન્ડિંગ ઝોન,ગઝેબો, બેસવા માટે બેંચ, વોકિંગ ટ્રેક અને ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવશે. શહેરના અનેક રોડને ડેવલોપ કરી શહેરની સુંદરતામાં વધારો કરાશે. આગામી દિવસોમાં શહેરમાં અનેક રોડને અઈકોનિક રોડ તરીકે વિકસાવાશે. જેમાં મેઈન રોડ, સર્વિસ રોડ, ફૂટપાથ, પાર્કિંગ સહિતની સુવિધા હશે. હાલ તો અમદાવાદ શહેરમાં 7 જગ્યાએ આઈકોનિક રોડ તરીકે વિકસાવાઈ રહ્યો છે. આગામી સમયમાં શહેરના અનેક રોડને ડેવલોપ કરી શહેરની સુંદરતામાં વધારો કરાશે.

લોકોને શું ફાયદો થશે

5/5
image

હવે તમને લાગશે કે સરકારના આ નિર્ણયથી શું ફેર પડશે. એટલે કે જે લોકો પાસે દુકાન, મકાન કે કોઈ વસ્તુ છે તો તેનો ભાવ વધી જશે. એટલે કે લોકોના મકાન, દુકાન, જમીન દરેકની વેલ્યૂ વધી જશે.