સુરતની ડેન્ટિસ્ટે કોરોનાના દર્દીઓ માટે તૈયાર કરાઈ ખાસ ગણપતિની મૂર્તિ

સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ (Ganesh Utsav)ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ગણેશ ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે આ વર્ષે ગણેશ મૂર્તિ (Ganesha Idol)ની સાઈઝને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે

ચેતન પટેલ, સુરત: કોરોના કાળની વચ્ચે સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ (Ganesh Utsav)ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ગણેશ ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે આ વર્ષે ગણેશ મૂર્તિ (Ganesha Idol)ની સાઈઝને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યારે મૂર્તિકારો દ્વારા પણ ભગવાન ગણેશની નાની પ્રતિમાઓમાં અલગ-અલગ વેરાયટીઓ જોવા મળી રહી છે. સુરતની એક ડેન્ટિસ્ટ તબીબ (Dentist) દ્વારા ડ્રાય ફુટના ગણેશજી (Dry Fruits Ganesha) બનાવવામાં આવ્યા છે. તો ચાલો આ ડ્રાય ફૂટના ગણેશજી કેવા દેખાઈ રહ્યા છે તે અમે તમને બતાવીએ.

1/4
image

આમ તો મૂર્તિકારો દ્વારા નારીયેરી, તરબૂચ કે અન્ય ચીજ વસ્તુઓમાંથી ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવતા હોય છે. જોકે આ વર્ષે એક મૂર્તિકાર દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિ અનોખી રીતે બનાવવામાં આવી છે. આ ગણેશજીની મૂર્તિ ડ્રાયફ્રુટથી બનાવવામાં આવી છે. ખાસ કરીને હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. કેટલાક લોકોને કોરોના થઈ ગયો હોવાથી તેઓ Covid કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે.

2/4
image

ભગવાન ગણેશનો પર્વ આ દર્દીઓ પણ ધામધૂમથી ઉજવી શકે તે માટે સુરતની ડેન્ટિસ્ટ અદિતિ દ્વારા અનોખા ગણેશજી બનાવવામાં આવ્યા છે. આ ગણેશજીની ખાસિયત એ છે કે સાત દિવસની મહેનત કરી અદિતિએ કોરોનાના દર્દીઓ માટે ખાસ ગણપતિ તૈયાર કર્યા છે. આ ગણપતિ 266 નંગ અખરોટ, 66 નંગ બદામ, 172 નંગ શિંગ અને 7 નંગ પિસ્તાથી બનાવવામાં આવ્યા છે.

3/4
image

ડ્રાયફ્રુટ ઈમ્યુનિટી બુસ્ટર તરીકે કામ કરે છે જેથી કોરોનાને લઈને તેમને આ ગણપતિ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ મૂર્તિની ઊંચાઈ 20 ઈંચ, પહોળાઈ 15 ઈંચ અને વજન 2.5 કિલોગ્રામ છે. આ મૂર્તિની સ્થાપના ભટાર સ્થિત અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર પર કરાશે અને 7 દિવસ બાદ તેનો પ્રસાદ કોરોનાના દર્દીઓને આપીને તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરાશે.

4/4
image

અદિતિએ વાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રૂટની મૂર્તિ બનાવી છે. અખરોટ, શિંગ, પિસ્તા અને બદામ મળીને 511 નંગ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરીને મૂર્તિ બનાવી છે. મૂર્તિ બનાવવા માટે કવચ વાળા ડ્રાયફુટ જ વાપર્યા છે જેથી દસ દિવસ તેને રાખી પણ શકાય અને તે બગાડશે પણ નહીં. આ ગણપતિની પૂજા ગોવિંદ વડમા કોરોના ના દર્દીઓ કરી શકશે અને જે કોરોના નો વિઘ્ન છે તે દૂર થાય આ માટે દર્દીઓ પ્રાર્થના કરશે તેમ જ આવી પરિસ્થિતિમાં પણ સકારાત્મક ઉર્જા દર્દીઓને મળી રહેશે.