પર્સમાં આ ખાસ વસ્તુ રાખવાથી ક્યારેય નહીં ખુટે પૈસા! નુસખો અજમાવીને જોઈલો

નવી દિલ્લીઃ તમામ લોકો ઈચ્છે છે કે, તેમનું પર્સ, ઘર, તિજોરી હંમેશા રૂપિયાથી ભરેલી રહે. પરંતુ ઘણા લોકો સાથે આ સ્થિતિ રહે છે પણ મહિનાના અંત સુધીમાં રૂપિયા ખતમ થવાના આરે આવી જાય છે. અને ઘણીવાર તો ઉધાર લેવાની નોબત આવી જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં રૂપિયાથી જોડાયેલી ઘણી એવી ટિપ્સ આપવામાં આવી છે જેનો ઉપયોગ કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય. 

 

 

પૈસાને ચુંબકની જેમ ખેંચી લાવશે આ વસ્તુઓ

1/5
image

પર્સ પૈસાથી ભરેલું રાખવા માટે તમારે તેમાં અમુક ખાસ વસ્તુઓ રાખવી પડશે. આ વસ્તુઓ પર્સમાં રાખવાથી પૈસા ચૂંબક પાસે આવે તેમ ખેંચાઈને તમારી પાસે આવી જશે. હાલ પણ આ વસ્તુ મૂકતા પહેલાં ધ્યાન રાખો પર્સ લેધરનું તો નથી ને.

કમળના બીજઃ

2/5
image

પર્સમાં કમળના બીજ રાખવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે છે. કેમ કે, મા લક્ષ્મીને કમળ બહુ પ્રિય છે. તે તમને આર્થિક લાભ પણ આપશે અને માનસિક શાંતિ મળશે.

 

શ્રી યંત્રઃ

3/5
image

 

પર્સમાં નાનકડું શ્રી યંત્ર રાખવાથી તમે હંમેશા સકારાત્મકતાથી હરાભરા રહેશો. આ તમારી ભાગ્યવૃદ્ધિ કરશે અને સુખ-સમૃદ્ધિ આપશે.

 

ગોમતી ચક્ર રાખવું જોઈએઃ

4/5
image

 

પર્સમાં 7 ગોમતી ચક્ર રાખવાથી ધન લાભ થાય છે. આ ગોમતી ચક્રથી તમને ક્યારેય પૈસાની તંગી નહીં આવે.

પીપળનું પાનઃ

5/5
image

પીપળના પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે. જો વિષ્ણુ ભગવાનની કૃપા હશે તો મા લક્ષ્મી એમ જ તમારા પર મહેરબાન રહેશે. માટે તમારા પર્સમાં એક પીપળનું પાન ગંગાજશથી ધોઈને રાખી દો. આ પાંદડા પર કેસરથી શ્રી લખી દો. થોડા જ દિવસમાં પૈસા ખેંચાતા આવી જશે. પણ હાલ પર્સમાં આ પાન કોઈને દેખાઈ નહીં તે રીતે રાખો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS કે ZEE24ક્લાક એની પુષ્ટી કરતું નથી.)