કુંભાર પરિવારોને ફળ્યું રામમંદિર! પ્રાણપ્રતિષ્ઠા માટે ગુજરાતથી અયોધ્યા જશે 5 કરોડ દીવડા

ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાતના દીવડાઓના પ્રકાશથી ઝગમગશે ઉત્તર પ્રદેશનું અયોધ્યા. રામમંદિરમાં ચમકશે અમવાદના દીવડાની ચમક. ગુજરાતના કુંભાર પરિવારોને મળ્યો અધધધ...દીવડાનો ઓર્ડર...ગુજરાત સહિત દેશભરમાં હાલ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ધૂમ જોવા મળી રહી છે.
 

1/8
image

ખાસ કરીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાજ્યના કુંભાર પરિવારો માટે વેપાર લઈને આવ્યો છે. રાજ્યના લાખો કુંભાર પરિવારોને દીવડાના મસમોટા ઓર્ડર મળ્યા.

2/8
image

કુંભારો પરિવારોને ફળ્યું રામમંદિર! પ્રાણપ્રતિષ્ઠા માટે ગુજરાતથી અયોધ્યા જશે 5 કરોડ દીવડા. રામલલ્લા માટે ચાલી રહી છે તડામાર તૈયારીઓ.  

3/8
image

રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પગલે દીવડાઓ માટે મંદિરો, ધાર્મિક સંસ્થાઓ અને વેપારીઓએ આપ્યા લાખો રૂપિયાના દીવડા લેવાના ઓર્ડર આપ્યાં છે.

4/8
image

દિવાળીમાં થતી દિવડાની ખરીદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં શરુ થઈ છે. દીવડાના સુરત, મુંબઇ, અમદાવાદ સિટીમાં સૌથી વધુ ઓર્ડર આવ્યાં છે. કોડિયા સાથે માટીની ડીશનો પણ ઓડર મળ્યો છે. રંગોળી અને આરતી કરવા માટે માટીની ડિશનો ઓર્ડર મળ્યો છે. સાથે માટીના રામ દરબારના પણ અનેક ઓર્ડર મળ્યા છે.  

5/8
image

રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાતના કુંભાર પરિવારોને અંદાજે પાંચ કરોડ દિવડાનો મળ્યો ઓર્ડર મળ્યો છે.  

6/8
image

કુંભાર પરિવારોને રૂપિયા 1 કરોડથી વધુનો આર્થિક ફાયદો કરાવશે. કુંભાર પરિવારો ૨૨ જાન્યુઆરીના દિવસની બીજી દિવાળી માની રહ્યા છે 

7/8
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ૨૨ જાન્યુઆરીએ રામ જ્યોત પ્રજ્વલિત કરવા અપીલ કરી હતી.  

8/8
image

મંદિરો અને ધાર્મિક સંસ્થાઓમાં ૨૨ જાન્યુઆરીએ દીપ પ્રજ્વલિત કરી દીવાળી ઉજવવાના આયોજનો છે.