દિવાળી બાદ આ 3 રાશિવાળાને શનિદેવ બેસાડી દેશે પૈસાના ઢગલે, બંપર ધનલાભથી ભાગ્ય ચમકાવશે!

શનિ ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. શનિ જૂન મહિનાથી પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી છે અને નવેમ્બરમાં માર્ગી થશે. શનિના માર્ગી થવાના કારણે કેટલીક રાશિવાળા પર તેનો ખાસ પ્રભાવ પડશે. શનિનું માર્ગી થવું કેટલીક રાશિવાળા માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. શનિના માર્ગી થવાની અસર કેટલીક રાશિ પર સૌથી વધુ પડશે. જાણો દિવાળી પછી કોના માટે શનિદેવ ખુશખબર લઈને આવશે....
 

1/5
image

દિવાળી બાદનો સમય શનિદેવ એવો લઈને આવી રહ્યા છે કે આ ફેરફારથી અનેક રાશિઓના જીવનમાં હલચલ મચી જશે. શનિ હાલ વક્રી અવસ્થામાં છે. જેને ઉલ્ટી ચાલ પણ કહે છે. શનિ 30 વર્ષ બાદ કુંભ રાશિમાં ગોચર કરે છે. શનિનું પોતાની સ્વરાશિમાં વક્રી થવું એ શનિની સાડાસાતી ભોગવતી રાશિઓ માટે ખુબ કપરી સ્થિતિ હતી. પરંતુ દિવાળી બાદ શનિ ફરીથી માર્ગી થઈ જશે. શનિનું માર્ગી થવું એ અનેક રાશિઓ માટે રાહતવાળી વાત હોય છે. શનિ ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. શનિ જૂન મહિનાથી પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી છે અને નવેમ્બરમાં માર્ગી થશે. શનિના માર્ગી થવાના કારણે કેટલીક રાશિવાળા પર તેનો ખાસ પ્રભાવ પડશે. શનિનું માર્ગી થવું કેટલીક રાશિવાળા માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. શનિના માર્ગી થવાની અસર વૃષભ, મિથુન અને કુંભ રાશિ પર સૌથી વધુ પડશે. જાણો દિવાળી પછી કોના માટે શનિદેવ ખુશખબર લઈને આવશે....

વૃષભ રાશિ

2/5
image

શનિદેવ દિવાળી બાદ વૃષભ રાશિવાળાને ભરપૂર લાભ કરાવશે. શનિદેવનું માર્ગી થવું એ વૃષભ રાશિના જાતકો માટે લકી સાબિત થઈ શકે છે. કોશિશ કરો કે કોઈને નુકસાન ન પહોંચાડો અને તમે તમારા કામ પર ફોક્સ જાળવી રાખવામાં સફળ થશો. બિઝનેસમાં પણ તમને સારો એવો ફાયદો થશે અને તમારા માટે અનેક એવા સંયોગ ઊભા થશે કે જે તમને ઉપરાછાપરી લાભ કરાવશે. 

મિથુન રાશિ

3/5
image

શનિદેવ મિથુન રાશિથી નવમ ભાવમાં માર્ગી થશે. આથી મિથુન રાશિવાળા માટે શનિનું માર્ગી થવું એ સોને પર સુહાગા જેવું રહેશે. તમારા માટે અનેક પ્રકારથી અનેક ચીજોમાં લાભના યોગ છે. તમે ભાગ્યથી જે પણ કઈ પાછળ છોડ્યું છે તે હવે તમને આ દરમિયાન મળે તેવા સંકેત છે. ભાગ્યનો સારો સાથ મળવાથી તમારા જે કામ ધીમી ગતિથી ચાલીર હ્યા હતા તેમાં પણ હવે પ્રગતિ જોવા મળશે. 

કુંભ રાશિ

4/5
image

કુંભ રાશિ એ શનિની સાડાસાતીવાળી રાશિ છે. જેની ઉપરથી સાડા સાતી હવે ઉતરવાની છે. આ રાશિમાં શનિ માર્ગી થશે. કુંભ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું એ કોઈ વરદાનથી કમ નથી. આ રાશિના જાતકોને અગાઉ ફસાયેલું ધન આ સમય દરમિયાન મળે તેવા સંકેત છે. શનિદેવ તમારી રાશિથી લગ્નભાવમાં માર્ગી થશે. આથી તમે જે પહેલા ગુમાવ્યું છે તે મેળવી લેશો. બધુ મળીને તમારા માટે સમય ખુબ સારો છે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.