'મામા' તો હાંસિયા ધકેલાઇ રહ્યા હતા! 5 કારણ જેના લીધે સતત ચોથી ખીલ્યું 'કમળ'

Madhya pradesh elections result 2023: જો ટ્રેન્ડને અંતિમ આંકડામાં ફેરવવામાં આવે તો મધ્યપ્રદેશમાં ભાજપે બમ્પર જીત નોંધાવી છે. ભાજપે લગભગ બે તૃતિયાંશ બેઠકો કબજે કરી લીધી છે. આ વખતની ચૂંટણીની વિશેષતા એ હતી કે ભાજપે મુખ્યમંત્રી પદ માટે કોઈ ચહેરો જાહેર કર્યો ન હતો. આ વલણોથી સ્પષ્ટ છે કે ફરી એકવાર શિવરાજ સિંહ ચૌહાણનો જાદુ મતદારો પર કામ કરી ગયો છે.

મધ્યપ્રદેશમાં ભાજપની સુનામી

1/6
image

મધ્યપ્રદેશના વલણોથી સ્પષ્ટ છે કે ભાજપની સુનામીને રોકવી કોંગ્રેસ માટે શક્ય નથી. ભાજપ લગભગ બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ વખતે ભાજપ દ્વારા સીએમ ચહેરો જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ ટ્રેન્ડ્સ પરથી સ્પષ્ટ છે કે કાકા એટલે કે શિવરાજ સિંહનો જાદુ ચરમસીમાએ પહોંચી ગયો છે.

મહિલાઓએ પલટી દીધી બાજી

2/6
image

જ્યારે મધ્યપ્રદેશમાં મતદાનના આંકડા સામે આવ્યા ત્યારે કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે હવે ચિત્ર સ્પષ્ટ છે કે પરિણામ કોની તરફેણમાં આવશે. જોકે ભાજપના નેતાઓ કહેતા હતા કે કોંગ્રેસના લોકો ભૂલી ગયા કે મહિલાઓએ ખુલ્લેઆમ મતદાન કર્યું છે. ઘરની બહાર નીકળતી મહિલાઓ એ સંકેત આપી રહી છે કે પરિણામ કોના પક્ષમાં આવશે.

શિવરાજ સિંહનો જાદુ ચાલી ગયો

3/6
image

શિવરાજ સિંહ ચૌહાણને ભલે સીએમ ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યા ન હતા. પરંતુ ચૂંટણી પહેલા પીએમ મોદીએ એક પત્રમાં લખ્યું હતું કે શિવરાજ સિંહે જે રીતે યોજનાઓ લાગુ કરી તેના પરિણામો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં પણ નારા લગાવવામાં આવ્યા કે મામાનું કામ અને પીએમ મોદીની સ્વચ્છ છબિ ઇતિહાસ રચવા જઇ રહી છે. 

ચૂંટણી મેદાનમાં હતા ભાજપના અનેક દિગ્ગજો

4/6
image

મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપે એક અલગ પ્રયોગ કર્યો. કેન્દ્રીય કેબિનેટમાંથી ઘણા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની સાથે સાંસદોને પણ તક આપવામાં આવી હતી. કેન્દ્રીય નેતૃત્વએ આના દ્વારા સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે ભાજપ માટે ચૂંટણી જીતવી એ એકમાત્ર મિશન નથી પરંતુ જનતાની ભલાઈ માટે કોઈ પણ વ્યક્તિ માટે પદથી કોઈ ફરક પડતો નથી. અને આ પ્રયોગ પણ કામ લાગે છે.

પીએમ મોદીને અપીલ કરીને કરવામાં આવ્યું કામ

5/6
image

આ બધા સિવાય જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે કમાન સંભાળી તો ભાજપનો રસ્તો આસાન થઈ ગયો. ચૂંટણીના વલણોથી સ્પષ્ટ છે કે રાજ્યની જનતા પીએમ મોદીના ચહેરા પર કેટલો વિશ્વાસ કરે છે. પીએમ મોદી તેમની સભાઓમાં કહેતા હતા કે તેમના માટે સમાજના નબળા વર્ગનું કલ્યાણ મહત્વપૂર્ણ છે. તેમનો દરેક પ્રયાસ વંચિત લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે.

કોંગ્રેસના નકારાત્મક અભિયાનની અસર

6/6
image

ટ્રેન્ડ પર નજર કરીએ તો કોંગ્રેસ 100 સીટોથી નીચે છે. 2018ની ચૂંટણીની સરખામણીમાં તેને લગભગ 26 બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે. આ વલણો પરથી સ્પષ્ટ થાય છે કે પીએમ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો અને શિવરાજ સિંહ ચૌહાણ સરકાર વિરુદ્ધ નકારાત્મક વાતો લોકોને પસંદ પડી ન હતી અને મતદારોએ સકારાત્મક ચૂંટણી અભિયાનને ગંભીરતાથી લીધું હતું.