બેટરીમાં પાણી ભરતી વખતે ભારે પડી શકે છે આ ભૂલો, બોમ્બની જેમ ફૂટશે ઇન્વર્ટર!

Inverter Battery Damage: ઈન્વર્ટર બેટરીમાં પાણી ભરતી વખતે ઘણી વખત યુઝર્સ કેટલીક ભૂલો કરે છે, જેનાથી બેટરીને ભારે નુકસાન થઈ શકે છે, જેના વિશે દરેક ઈન્વર્ટર યુઝરને જાણ હોવી જોઈએ. ઈન્વર્ટરની બેટરીમાં સમયસર પાણી ભરવું ખૂબ જ જરૂરી છે, જો આવું ન કરવામાં આવે તો બેટરીનું પરફોર્મન્સ તો ઘટે છે પરંતુ કેટલીકવાર નુકસાન પણ વધુ થઈ જાય છે. 

1/5
image

ઇન્વર્ટર બેટરીનું પાણી ટાઈમ ટુ ટાઈમ બદલતા રહેવું પડે છે. જો આમ ન કરવામાં આવે તો બેટરી ખરાબ થઈ જાય છે. જો કે બેટરીમાં પાણી ભરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ઇન્વર્ટર બગડી શકે છે.

2/5
image

ઇન્વર્ટરની બેટરીમાં પાણી ભરવા ઉપરાંત, ઇન્વર્ટરના વાયરિંગને પણ સારી રીતે તપાસો. ખરાબ વાયરિંગના કારણે આગ અને શોર્ટ સર્કિટનું જોખમ ઉભું થાય છે.

3/5
image

ઉપયોગ સાથે પાણીનું સ્તર ઘટે છે, તેથી જો ઇન્વર્ટરનો વારંવાર ઉપયોગ થતો હોય તો દર 45 દિવસે તેને તપાસતા રહો. ઈન્વર્ટરની બેટરીમાં પાણી ભરવાનું ભૂલશો નહીં, કારણ કે પાણી સુકાઈ જવાથી બેટરીને નુકસાન થાય છે અને આગ લાગવાનું જોખમ પણ વધી જાય છે. 

4/5
image

વોટર લેવલ જાળવી રાખવું ખુબ જ આવશ્યક છે. ઇન્વર્ટર બેટરીમાં પાણી ભરતી વખતે, ગ્રીન માર્કસ વચ્ચે પાણીનું સ્તર રાખવું ખુબ જ જરૂરી છે. નીચા પાણીનું સ્તર બેટરીને નુકસાન પહોંચાડી શકે છે, જ્યારે ઉચ્ચ પાણીનું સ્તર બેટરી એસિડને પાતળું કરી શકે છે, જે બેટરીની કામગીરીને ઘટાડે છે. 

5/5
image

ડિસ્ટિલ્ડ વોટરનો ઉપયોગ કરીને જ ઈન્વર્ટરની બેટરી ભરવી જોઈએ. નળના પાણી અથવા RO દ્વારા શુદ્ધ કરાયેલા પાણીમાં હજુ પણ અશુદ્ધિઓ અથવા ખનિજો હોઈ શકે છે જે બેટરીને નુકસાન પહોંચાડી શકે છે.