આઈપીએલમાં આ ખેલાડીઓ સંભાળશે પોતાની ટીમની કમાન

આઈપીએલ 2018 માટે ટીમોએ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ સિવાય તમામ ટીમોના કેપ્ટન નક્કી થઈ ગયા છે. આ વખતે આઈપીએલ 7 એપ્રિલે શરૂ થઈ રહ્યો છે અને 27 મુંબઈના વાનખેડામાં ફાઇનલ રમાશે. 

 

Rohit Sharma for Mumbai Indians

1/8
image

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા જ રહેશે. રોહિતને મુંબઈએ 15 કરોડમાં રિટેઇન કર્યો છે. રોહિત શર્મા મુંબઈને ત્રણ વખત આઈપીએલનું ટાઇટલ અપાવી ચૂક્યો છે. 

 

Virat kohli for RCB

2/8
image

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન કોહલી જ રહેશે. વિરાટે બેંગ્લોરને હજુ સુધી એકપણ ટાઇટલ અપાવ્યું નથી પરંતુ બેંગ્લોરને વિરાટ પર વિશ્વાસ છે. 

 

R Ashwin for KXIP

3/8
image

કિંગ્સ ઈલેવન પંજાબે રવિચંદ્રન અશ્વિનને 7.6 કરોડમાં ખરીદ્યો હતો. પ્રિતી ઝીંટાએ અશ્વિનને ટીમનો કેપ્ટન બનાવી દીધી છે. આઈપીએલની તમામ ટીમોમાં અશ્વિન એકમાત્ર બોલર કેપ્ટન હશે. 

Gautam Gambhir for DD

4/8
image

દિલ્હી ડેયરડેવિલ્સે દિલ્હી તરફથી ક્રિકેટ રમનાર ગૌતમ ગંભીરને સુકાન સોંપ્યું છે. ગૌતમ ગંભીરને કેપ્ટનશિપનો અનુભવ છે. આ પહેલા તે બે વાર કોલકત્તાને ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. તેમ છતાં કેકેઆરે તેને રિટેઇન ન કરીને તમામને ચોંકાવ્યા હતા. 

 

Steve Smiith for RRs

5/8
image

રાજસ્થાન રોયલ્સે સ્ટીવ સ્મિથને પોતાની ટીમમાં રિટેઇન કરીને સુકાનીની જવાબદારી સોંપી છે. સ્મીથે ગત વર્ષે પૂણેની આગેવાની કરીને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. 

 

MS Dhoni for CSK

6/8
image

ચેન્નઈ સુપર કિંગ્સે આશા પ્રમાણે મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન તરીકે રિટેઇન કર્યો છે. ધોનીની આગેવાનીમાં ટીમ બે વખત ચેમ્પિયન બની હતી. 

David Warner for SRH

7/8
image

સનરાઇઝર્સ હૈદરાબાદે ફરી ડેવિડ વોર્નરના હાથમાં સુકાન સોંપવાનું નક્કી કર્યું છે. ડેવિડ વોર્નરે આઈપીએલમાં પોતાના શાનદાર પ્રદર્શનથી તમામને પ્રભાવિત કર્યા છે. 

KKR still to decide

8/8
image

કોલકત્તા નાઇટ રાઇડર્સ એકમાત્ર એવી ટીમ છે જેના કેપ્ટનની જાહેરાત કરવામાં આવી નથી. હરાજી બાદ જ ખ્યાલ આવ્યો કે કોલકત્તાએ કેપ્ટન બનાવવા માટે કોઈ ખેલાડીને ખરીદ્યો નથી. હાલમાં કેપ્ટનની રેશમાં દિનેશ કાર્તિક, રોહિન ઉથપ્પા અને ક્રિસ લિનનું નામ ચાલી રહ્યું છે.