આઈપીએલમાં આ ખેલાડીઓ સંભાળશે પોતાની ટીમની કમાન
આઈપીએલ 2018 માટે ટીમોએ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ સિવાય તમામ ટીમોના કેપ્ટન નક્કી થઈ ગયા છે. આ વખતે આઈપીએલ 7 એપ્રિલે શરૂ થઈ રહ્યો છે અને 27 મુંબઈના વાનખેડામાં ફાઇનલ રમાશે.
Rohit Sharma for Mumbai Indians
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા જ રહેશે. રોહિતને મુંબઈએ 15 કરોડમાં રિટેઇન કર્યો છે. રોહિત શર્મા મુંબઈને ત્રણ વખત આઈપીએલનું ટાઇટલ અપાવી ચૂક્યો છે.
Virat kohli for RCB
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન કોહલી જ રહેશે. વિરાટે બેંગ્લોરને હજુ સુધી એકપણ ટાઇટલ અપાવ્યું નથી પરંતુ બેંગ્લોરને વિરાટ પર વિશ્વાસ છે.
R Ashwin for KXIP
કિંગ્સ ઈલેવન પંજાબે રવિચંદ્રન અશ્વિનને 7.6 કરોડમાં ખરીદ્યો હતો. પ્રિતી ઝીંટાએ અશ્વિનને ટીમનો કેપ્ટન બનાવી દીધી છે. આઈપીએલની તમામ ટીમોમાં અશ્વિન એકમાત્ર બોલર કેપ્ટન હશે.
Gautam Gambhir for DD
દિલ્હી ડેયરડેવિલ્સે દિલ્હી તરફથી ક્રિકેટ રમનાર ગૌતમ ગંભીરને સુકાન સોંપ્યું છે. ગૌતમ ગંભીરને કેપ્ટનશિપનો અનુભવ છે. આ પહેલા તે બે વાર કોલકત્તાને ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. તેમ છતાં કેકેઆરે તેને રિટેઇન ન કરીને તમામને ચોંકાવ્યા હતા.
Steve Smiith for RRs
રાજસ્થાન રોયલ્સે સ્ટીવ સ્મિથને પોતાની ટીમમાં રિટેઇન કરીને સુકાનીની જવાબદારી સોંપી છે. સ્મીથે ગત વર્ષે પૂણેની આગેવાની કરીને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.
MS Dhoni for CSK
ચેન્નઈ સુપર કિંગ્સે આશા પ્રમાણે મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન તરીકે રિટેઇન કર્યો છે. ધોનીની આગેવાનીમાં ટીમ બે વખત ચેમ્પિયન બની હતી.
David Warner for SRH
સનરાઇઝર્સ હૈદરાબાદે ફરી ડેવિડ વોર્નરના હાથમાં સુકાન સોંપવાનું નક્કી કર્યું છે. ડેવિડ વોર્નરે આઈપીએલમાં પોતાના શાનદાર પ્રદર્શનથી તમામને પ્રભાવિત કર્યા છે.
KKR still to decide
કોલકત્તા નાઇટ રાઇડર્સ એકમાત્ર એવી ટીમ છે જેના કેપ્ટનની જાહેરાત કરવામાં આવી નથી. હરાજી બાદ જ ખ્યાલ આવ્યો કે કોલકત્તાએ કેપ્ટન બનાવવા માટે કોઈ ખેલાડીને ખરીદ્યો નથી. હાલમાં કેપ્ટનની રેશમાં દિનેશ કાર્તિક, રોહિન ઉથપ્પા અને ક્રિસ લિનનું નામ ચાલી રહ્યું છે.
Trending Photos