Havan Ki Rakh Na Upay: હવનની રાખના છે અઢળક ફાયદા, આ ઉપાય કરશો તો પ્રગતિ પાક્કી, રૂપિયાનો થશે ઢગલો

Astro Tips For Havan Ki Rakh: શાસ્રોમાં કહેવામાં આવ્યું છે કે ધરમાં હવન કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે, ખરાબ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. હવનની રાખના અઢળક ફાયદા છે. 

Havan Ki Rakh Na Upay: હવનની રાખના છે અઢળક ફાયદા, આ ઉપાય કરશો તો પ્રગતિ પાક્કી, રૂપિયાનો થશે ઢગલો

Benefit Of Havan Ki Rakh: હિંદુ ધર્મમાં હવનની પ્રાચીનકાળથી જ પરંપરા રહી છે. કહેવાય છે કે ઘરમાં હવન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. હવનથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઇપણ પૂજા-પાઠ કોઇ ખાસ અવસર પર હવન કરવો શુભ ગણવામાં આવે છે. તેનાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. હવન કરવા માટે હવન સામગ્રીનો યોગ્ય ઉપયોગ થવો જરૂરી હોય છે. હવન સામગ્રીમાં ઘણી વસ્તુઓ સામેલ હોય છે. 

શાસ્ત્રોના અનુસાર હવન કરતી વખતે અગ્નિમાં હવન સામગ્રીની આહુતિ આપવામાં આવે છે. હવન દરમિયાન નિકલનાર ધૂમાડો વાતાવરણ શુદ્ધ કરે છે. હવન સાથે સાથે હવન બાદ બચેલી રાખનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. હવનની રાખથી જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે, જેમને કરવાથી ઘરમાં બરકત બની રહે છે. માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ઘણા ઘરોમાં હવનની રાખને સંભાળીને રાખવામાં આવે છે, તો કેટલાક લોકો તેને જળમાં પ્રવાહિત કરે છે. હવનની રાખમાં ઘણા ચમત્કારી ગુણ હોય છે. આવો જાણીએ. 

હવનની રાખના ઘણા છે ફાયદા
-વાસ્તુ શાસ્ત્રના અનુસાર હવનની રાખનો ઉપયોગ કરીને ઘરમાંથી નકારાત્મક શક્તિઓને પ્રવેશ કરતાં રોકી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર હવનની રાખને ફેંકવાના બદલે તેને વ્યવસ્થાના સ્થળ પર અથવા પછી ઘરની ચારેય દિશામાં છાંટવાથી ઘરમાં હાજર નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. 

- ઘણીવાર ઘરના વડીલો તેલ અથવા મીઠાની મદદથી નજર ઉતારે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે નજર ઉતારવા માટે હવનની રાખનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે ઘરના સભ્યોને નજરદોષથી બચાવવા માટે હવનની રાખનું તિલક લગાવવામાં આવે છે. આમ કરવાથી ખરાબમાં ખરાબ નજર દૂર થઇ જાય છે અને નજરદોષથી મુક્તિ મળે છે. 

- ઘરમાં ધન સંપત્તિ અને બરકત મેળવવા માટે હવન બાદ જ રાખને સંભાળીને રાખી લો. ત્યારબાદ રાખ ઠંડી થતાં તેને લાલ કપડાંમાં બાંધી લો અને તેને તિજોરીમાં મુકી દો. આ ઉપાય કરવાથી ધનમાં બરકત થાય છે અને વ્યક્તિને પૈસા સંબંધી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. 

- જો કોઇ જાતકને રાત્રે ડરામણા સપના આવે છે, તો હવનની રાખથી તેને પણ દૂર કરવામાં આવે છે. રાત્રે જો હવનની રાખનું તિલક લગાવીને સૂઇ જાય છે, તો રાત્રે બિહામણા સપના આવવાનું બંધ થઇ જાય છે. આ ઉપાયને સતત 4 દિવસ સુધી કરવાથી વ્યક્તિને ડરામણા સપના આવવાના બંધ થઇ જાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી સામાન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. )

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news