સાળંગપુરમાં દર્શન કરવા જાઓ તો ધ્યાન રાખો, 58 સંવેદનશીલ સ્પોટ પર મૂકાયો આ પ્રતિબંધ

Salangpur Hanuman Temple : બોટાદમાં આવેલા સેન્સેટીવ ઝોન પાસે પરવાનગી વગર ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો...જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું...બોટાદ જિલ્લામાં કુલ 58 સ્થળોને રેડ-યેલો ઝોનમાં મુકવામાં આવ્યા...બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલા મોટા ડેમો પર પણ પ્રતિબંધ..
 

સાળંગપુરમાં દર્શન કરવા જાઓ તો ધ્યાન રાખો, 58 સંવેદનશીલ સ્પોટ પર મૂકાયો આ પ્રતિબંધ

Bhavnagar Botad News બોટાદ : સાળંગપુરનું કષ્ટભંજન હનુમાન મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહી બારેમાસ ભક્તોનો ધસારો રહેતો હોય છે. તેમાં પણ હનુમાન દાદાનો શનિવાર હોય તો વધુ ભીડ રહેતી હોય છે. અમદાવાદથી મોટી સંખ્યામાં સાળંગપુર હનુમાન મંદિરના દર્શને જતા હોય છે. આવામાં સાળંગપુર મંદિરની સલામતી માટે મોટો નિર્ણય લેવાયો છે. બોટાદ જિલ્લામાં આવેલ સેન્સેટીવ ઝોન સ્થળો અને વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. બોટાદ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં બોટાદના સાળંગપુર મંદિર સહિત જિલ્લામાં કુલ ૫૮ સ્થળોને રેડ યલો ઝોનમાં મુકવામાં આવ્યા છે. 

બોટાદમાં આવેલા સેન્સેટીવ ઝોન પાસે પરવાનગી વગર ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો છે. જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં બોટાદ જિલ્લામાં કુલ 58 સ્થળોને રેડ-યેલો ઝોનમાં મુકવામાં આવ્યા છે. બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલા મોટા ડેમો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. સાથે જ જાહેરનામામાં જણાવાયું કે, જાહેરનામાનો ભંગ કરવા બદલ ફોજદારી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામા આવશે.

આ વિસ્તારોમાં ડ્રોન પર પ્રતિબંધ
બોટાદ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવાયું કે, કષ્ટભંજન હનુમાનજી મંદિર, BAPS મંદિર સાળગપુર, સ્વામી મંદિર કુંડળ, ભીમનાથ મહાદેવ મંદિર, વિસામણ બાપુની જગ્યા પાળીયાદ, ગોપીનાથજી મંદિર ગઢડા, BAPS મંદિર ગઢડા, ટેલિફોન એક્સચેન્જ બોટાદમાં ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. સાથે જ જિલ્લાનાં બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલા મોટા ડેમો પર ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત જિલ્લામાં સોનાવાલા હોસ્પિટલ, ગઢડા રેફરલ હોસ્પિટલ પર પ્રતિબંધ રહેશે. બોટાદ જિલ્લાની મધુસૂદન ડેરી, ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, વિજળી પાવર સપ્લાય સહિત ૫૮ સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. 

સાળંગપુર નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયું 
સાળંગપુર ધામે ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસે નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે. બોટાદમાં સુપ્રસિદ્ધ હનુમાન મંદિર આવેલું છે. આ મંદિરમાં ભક્તોની સતત અવરજવરને કારણે મંદિરની આસપાસ ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. અહીં મોટા પ્રમાણમાં યાત્રાળુઓ આવતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા રહે છે. આવામાં ટ્રાફિક સમસ્યાને હલ કરવા જિલ્લા પોલીસ દ્વારા નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. સાળંગપુર ગામે બરવાળા બોટાદ હાઈવે રોડ, ગુદા ત્રણ રસ્તાથી ભરવાડ વાસ સુધી, સાળંગપુર ગામના ભરવાડ વાસથી મંદિરના ગેટ-1 સુધીનો વિસ્તાર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો છે. તેથી ભક્તોને અપીલ છે કે, તેનુ પાલન કરે, અને આ મામલે સહયોગ આપે.

સાળંગપુર મંદિરની વિશેષતા
સારંગપુર એ ભારત દેશના ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલું ગામ છે. સારંગપુર ગામમાં સ્થિત ઐતિહાસિક શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિર માટે સમગ્ર ભારતમાં જાણીતું છે. આશરે 3000નું ગામ અમદાવાદ જિલ્લાની સરહદે આવેલું છે. નજીકનું શહેર બોટાદ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર ગામમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન-હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી હતી. આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમજ જેમને ભુત –પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું સત્કારી તેમજ ચમત્કારી મનાય છે. બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલ આ મંદિર માટે એમ કહેવાય છે કે ભુત -પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાથી મુક્તિ મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news