મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે Shikhar Dhawan, છુટાછેડા અને ટીમમાંથી બહાર થયા બાદ કહી દિલની વાત

શિખર ધવને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી પોતાના દિલની વાત કરી છે. હાલમાં તેના છુટાછેડા થયા છે, ત્યારબાદ તેને ટી20 વિશ્વકપની પણ ટિકિટ મળી નથી. 
 

મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે Shikhar Dhawan, છુટાછેડા અને ટીમમાંથી બહાર થયા બાદ કહી દિલની વાત

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને ટી20 વિશ્વકપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહીં. શ્રીલંકા વિરુદ્ધ લિમિટેડ ઓવરોની સિરીઝમાં શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વિશ્વકપ માટે તેની પસંદગી ન થતાં બધા ચોકી ગયા હતા. શિખર ધવન આ દિવસોમાં યૂએઈમાં છે. આઈપીએલ 2021ના પ્રથમ હાફમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતું. આઈપીએલ 2021ના બીજા હાફનો પ્રારંભ 19 સપ્ટેમ્બરથી થશે. 

શિખર ધવને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે. તેમાં ધવને લખ્યુ- હસ્તા રહો કારણ કે આજ તમારી સૌથી મોટી તાકાત છે. શિખર ધવનનું આ રિએક્શન તેના છુટાછેડા અને ટી20 વિશ્વકપમાં નામ ન હોવાની પ્રતિક્રિયા સમજી શકાય છે. શિખર ધવનના હાલમાં છુટાછેડા થયા છે. તેની પત્ની આયશા મુખર્જીએ સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી હતી. આઈપીએલના પ્રથમ હાફમાં શિખર ધવને 8 મેચોમાં 54.28ની એવરેજથી 380 રન બનાવ્યા હતા. 

આઈપીએલ 2020ની રનર્સઅપ દિલ્હી કેપિટલ્સ 22 સપ્ટેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદની સાથે મુકાબલા સાથે આઈપીએલ 2021ના બીજા હાફમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. પોઈન્ટ ટેબલમાં આ સમયે દિલ્હી કેપિટલ્સ ટોપ પર છે. ત્યારબાદ ચેન્નઈ સુપર કિંગ્સ અને ત્રીજા સ્થાને વિરાટની આરસીબી છે. શ્રેયસ અય્યરની વાપસીથી દિલ્હીની ટીમ મજબૂત લાગી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news