ગીતામંદિર News

ગુજરાતમાં સોમવારથી કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં STબસ સેવા શરૂ થશે, અમદાવાદનું ગીતામંદ
અનલોક 1માં રાજ્યમાં અનેક સેવાઓ શરૂ થવા જઈ રહી છે. ત્યારે બસ સેવા શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું જરૂરી પાલન થાય તે રીતે એસટી બસો શરૂ થશે. ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસોનું સંચાલન આવતીકાલે 1 જૂન, 2020થી શરૂ કરવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ આ અંગેની વધુ વિગતો આપતા કહ્યું કે, આ અગાઉ 20 મેથી તદ્દન હંગામી ધોરણે શરુ કરવામાં આવેલ ઝોન વાઈઝ સંચાલનની વ્યવસ્થા હવે રદ કરવામાં આવી છે. નિગમ દ્વારા 1 જનથી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસ સેવાઓ સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.
May 31,2020, 21:56 PM IST

Trending news