ગુરૂનાનક News

કચ્છ સરહદના ગુરૂદ્વારા ખાતે ગુરૂનાનકદેવજીના 550 પ્રકાશવર્ષની ઉજવણી
કચ્છ સરહદ પર આવેલા લખપત ના ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક દેવજી મહારાજ ના 550 પ્રકાશવર્ષ ની ધામધૂમ પૂર્વક ઉજવણી. શીખ ધર્મના ધર્મગુરુ નાનકદેવજી મહારાજના ૫૫૦ વર્ષની જન્મજયંતિની ઉજવણી 'પ્રકાશપર્વ' તરીકે દેશભરમાં ઉત્સાહપૂર્વક થઈ રહી છે. કચ્છ સરહદ પર લખપત કિલ્લા મધ્યે પણ આ પ્રસંગે ત્રિ દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો.૨૩/૨૪/૨૫ ડિસેમ્બર દરમ્યાન અહીં અખંડ પાઠ, કીર્તન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજ્યો હતો.. ગુરુ નાનકજીના સંદેશ અનુસાર આપસી ભાઈચારા અને માનવસેવા સાથે ત્રિદિવસીય મહોત્સવમાં સરહદના ગામો ઉપર રહેતા શીખ, હિન્દુ, મુસ્લિમ સહિત તમામ સમાજ અને વર્ગના લોકો જોડાયા હતા.
Dec 26,2019, 0:12 AM IST

Trending news