યોગેન્દ્ર સુખડિયા News

વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત, બે વાર થયો હતો કોરોના
વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત થયું છે. પાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન યોગેન્દ્ર સુખડીયાનું કોરોનાથી મોત નિપજતા વડોદરા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. યોગેન્દ્ર સુખડિયા ભાજપના બોર્ડના પ્રથમ સ્થાયી સમિતિ ચેરમેન હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં તેઓને દાખલ કરાયા હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે, યોગેન્દ્ર સુખડિયાને બે વાર કોરોના થયા હતો. અગાઉ કોરોના થતાં તેઓને કોરોનાને માત આપી હતી. પણ બીજી વખતની જંગ તેઓ જીતી શક્યા ન હતા. બીજી વખત કોરોના થયો, પણ બીજી વખત કોરોનાને હરાવી શક્યા ન હતા. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી છે. આ પીઢ નેતા 65 વર્ષની ઉંમરના હતા, અને સંગઠનની કામગીરીમાં સામેલ હતા. 
Jul 14,2020, 11:57 AM IST

Trending news