સર્જિકલ સ્ટ્રાઇક News

પાકિસ્તાની સંસદમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇક ગુંજ્યું, ‘ઇમરાન શરમ કરો’ના લગ્
નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી પીઓકેથી 80 કિમી અંદર ધૂસી બાલાકોટમાં ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇકની ગુંજ પાકિસ્તાનની સંસદમાં પણ સંભળાઇ છે. પાક સંસદમાં કાર્યવાહી શરૂ થયા બાદ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની નીતિઓ પર સવાલ ઉભા થતા વિપક્ષી સાંસદોએ ઇમરાન ખાન-‘શરમ કરો, શરમ કરો’ના નારા લાગ્યા હતા. આ વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ મંગળવારે કહ્યું કે ભારતે અમારી સીમામાં ઘૂસી હુમલો કર્યો છે. પાકિસ્તાને કહ્યું કે નિયંત્રણ રેખાના ઉલ્લંઘન કરી ભારતે ‘ઉશ્કેરણી’ ભરી કાર્યવાહી કરી છે અને ઇસ્લામાબાદને ‘જવાબ આપવાનો હક છે.’ ભારતીય વાયુસેના લડાકુ વિમાનો દ્વારા મંગળવારે વહેલી સવારે નિયંત્રણ રેખા પાર કરી પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો પર કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટ બાદ કુરેશી આ નિવેદન આપ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગંભીર હાલાત પર ચર્ચા કરવા માટે મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યાં છે.
Feb 26,2019, 14:08 PM IST

Trending news