સર્વિસ રિવોલ્વર News

રાજકોટ લોહીયાળ પ્રેમ પ્રકરણમાં ખુલાસો : રવિરાજ રોજ રાત્રેના ખુશ્બુના ઘરે જ
રાજકોટના યુનીવર્સીટી પોલીસ મથકના મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને સાથી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની કાલાવડ રોડ પર આવેલ ખુશ્બુના ઘરમાંથી ગોળીથી વિંધાયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેને લઇ પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી FSL ની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ગઈકાલે FSL રીપોર્ટ આવતા ની સાથે સમગ્ર મામલે નવો વળાંક સામે આવ્યો છે. ચાર દિવસથી એક એવી ચર્ચા ચાલતી હતી કે, રવિરાજસિંહે પહેલા ખુશ્બુની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી છે. જે દિશા તરફ પોલીસ આગળ તપાસ કરી રહી હતી અને એવામાં એફ.એસ.એલ રિપોર્ટમાં ખુશ્બુના ખભા પરથી ગન પાઉડર મળી જતા ખુશ્બુએ પહેલા રવિરાજની હત્યા નિપજાવી, અને બાદમાં પોતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 
Jul 16,2019, 13:19 PM IST
રાજકોટ: ASI આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ...
રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેરમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યું અંગે ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ખુશ્બુ કાનાબારે પહેલા રવિરાજસિંહની હત્યા કરી હતી અને પછી તેણે આપઘાત કરી લીઘો હોવાના રીપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. રવિરાજને ખુશ્બૂએ 4 ફૂટ દૂરથી ગોળી મારી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. મહત્વનું છે, કે જ્યારે ખુશ્બૂના શરીરમાંથી મળેલ ગોળી પોઇન્ટ બ્લેન્કની હતી. અને ખુશ્બૂએ રવિરાજના ખોળામાં માથું મૂકી આપઘાત કર્યો હોવાનુ આવ્યું સામે છે. ખુશ્બૂના હાથ અને કપડાં પરથી ગન પાવડર પણ મળી આવ્યો છે. જ્યારે રવિરાજના હાથ કે કપડા પરથી ગન પાવડર નથી મળી આવ્યો.
Jul 15,2019, 23:10 PM IST

Trending news