Corona alert News

એક્સપર્ટ તબીબનો મત, ગુજરાતમાં 10 હજાર નહિ, પણ 30 હજાર દર્દીઓ હોઈ શકે છે
ગુજરાત (gujarat corona update) માં ગઈ કાલે કોરોના વાયરસના 10 હજાર કેસ નોંધાયા હતા. પરંતુ જાણીતા ડૉક્ટર અને એમડી ફિઝિશિયન યોગેશ ગુપ્તાનું કહેવું છે કે, 10 હજાર કેસ નહિ, પરંતુ ગુજરાતમાં 30 હજાર કેસ (corona case) હોઈ શકે છે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના 30 હજાર દર્દીઓ સંક્રમિત થયા હોઈ શકે છે, ભલે સરકારી ચોપડે માત્ર 10 હજાર જ નોંધાયા હોય. આ માટે ડૉક્ટર યોગેશ ગુપ્તાએ પૂરતાં કારણો આપતાં કહ્યું છે કે, મેડિકલમાંથી કીટ લઈને જાતે ટેસ્ટ કરનારા લોકોના આંકડા સામે નથી આવતા. આ ઉપરાંત જે લોકોનો ઓમિક્રોન વેરિયન્ટનાં લક્ષણો છે તે સામાન્ય લક્ષણો હોવાથી તેઓ ટેસ્ટ (corona test) નથી કરાવી રહ્યા અને આવા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. જેના કારણે અત્યારે એક દિવસમાં 10 હજાર નહીં પરંતુ 30 હજાર લોકો સંક્રમિત થઈ રહ્યા છે. 
Jan 13,2022, 15:41 PM IST

Trending news