આ વાત આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ એક એવું કામ ભારતમાં સતત થઈ રહ્યું છે જે પૃથ્વીનું સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે. તેના સંતુલન પર એવી તે ખરાબ અસર પડી રહી છે કે તે પોતાની ધરીથી હવે ખસી રહી હોવાનું સામે આવ્યું છે. જો આ વાત આપણે સમજીને એ કામ કરવાનું નહીં અટકાવીએ તો લાંબા ગાળે એવી ખરાબ અસરો જોવા મળશે કે દાણા પાણીના સાંસા પડી જશે.
હાલ એક રિપોર્ટથી ગુજરાતીઓની ચિંતા વધી જવાની છે. જી હા...ગુજરાતમાં એવા 25 જિલ્લા છે, જ્યાં ભૂગર્ભ જળમાં હૃદય રોગ સાથે સંબંધિત બિમારીઓ થાય તેવા ખતરનાક રસાયણો, તત્વો અને કેમિકલ મળી આવ્યા છે.