નકલી નિત્યાનંદની પોલ ખોલવા 7 તપાસ એજન્સીઓ લાગી કામે

વિવાદનું બીજું નામ બનેલા નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં ગઈકાલે દિવસ દરમ્યાન સતત તાપસ દોર ચાલ્યો હતો. એસઆઈટી (SIT)ની ટીમને આશ્રમમાં તપાસ દરમિયાન દિલ્હી (Delhi) ની ૨ બાળકીઓએ રડતા રડતા પોલીસ સમક્ષ પોતાના માતા પિતા સાથે જવાની ઈચ્છા દર્શાવી હતી. પોલીસેએ ફરિયાદી જનાર્દન શર્મા (Janardan Sharma) ની મીસિંગ તેમજ તેમના બંને નાના બાળકોના અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદને લઇને આશ્રમમાં એસઆઈટીની ટીમે ધામા નાંખ્યા હતા. એસઆઈટીની ટીમે સીડબલ્યુસીના સભ્યોની હાજરીમાં આશ્રમ સાથે સંકળાયેલ કર્મચારીઓ અને બાળકો સહિત 20 લોકોના નિવેદન લીધા છે.

Trending news