1-8-18ના પરિપત્રમાં સુધારો કરવાની જવાબદારી કે કૈલાસનાથનને સોંપાઈ

અનામત અને બિન અનામતના ચાલી રહેલા આંદોલનમાં 1-8-2018ના પરિપત્રમાં સુધારો કરવાની જવાબદારી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કે કૈલાસનાથનને સોંપવામાં આવી છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને ગૃહ વિભાગના સચિવ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ સાથે પરામર્શ કરવા સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓને પણ કે કૈલાસનાથન બોલાવ્યા હતા.

Trending news