બિનસચિવાલય પરીક્ષા વિવાદ મુદ્દે સીએમ રૂપાણીનું નિવેદન

ગુજરાત બિન સચિવાલય પરીક્ષાના મામલાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડતાલ ખાતેથી નિવેદન આપ્યું હતું કે, કોઇપણ પરીક્ષા પ્રમાણિક વાતાવરણમાં જ થવી જોઇએ. સરકાર દ્વારા પારદર્શી કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ અયોગ્ય ઉમેદવારને નોકરી ન મળે તેનું ધ્યાન રાખવામાં આવશે. આ મામલે સરકારનું મન ખુલ્લુ છે. સરકાર પગલા લેવા માટે સહમત છે. સરકાર માને છે કે, જેઓએ મહેનત કરી છે તેમની મહેનત એળે ન જાય. વિદ્યાર્થીઓની લાગણીને સરકાર ધ્યાનમાં લેશે.

Trending news