વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયાના મંદિરનો આજે શિલાન્યાસ સમારોહ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું અને ભવ્ય જગત જનની મા ઉમિયાનું મંદિર આકાર પામવા જઇ રહ્યું છે. જે નિમિત્તે શુક્રવારથી બે દિવસીય શિલાન્યાસ સમારોહ યોજાશે. એસજી હાઇવે ખાતે વૈષ્ણોદેવી સર્કલથી જાસપુર પાસે ખાતે યોજાનારા શિલાન્યાસ સમારોહ નિમિત્તે 28 ફેબુ્આરી-શુક્રવારે સવારે 8થી બપોરે 12 દરમિયાન અયુત આહુતિ મહાયજ્ઞા- મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે બપોરે 2થી 4 દરમિયાન 11 હજાર જ્વારા શોભાયાત્રા-108 કળશ પૂજન કરાશે.

Trending news