ટોલ ટેક્સ મામલે સી.આર. પાટીલની મોટી જાહેરાત

કામરેજ-ભાટીયા ટોલટેક્સ સંદર્ભે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી સમક્ષ સ્થાનિક વાહનોને ટોલટેક્સમાંથી સંપૂર્ણ મુકિતની રજૂઆતને નકારી દેવામાં આવી હતી. જોકે આજે ફરી સાંસદ પાટીલ દ્વારા કેન્દ્રીય મંત્રી ગડકરીને કરવામાં આવેલી રજૂઆત બાદ સ્થાનિકોને મુક્તિની જાહેરાત કરવામાં આવી હતી.સાંસદ સી.આર.પાટીલે યોજેલી પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યુંહતુંકે, સ્થાનિકોએ ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે ફાસ્ટેગની લાઈનમાં જવું નહિ, જો ફાસ્ટેગની લાઈનમાં જશે તો ટોલ કપાઈ જશે.

Trending news