ગામડું જાગે છે: ઝી 24 કલાકના અહેવાલ બાદ ખેડામાં તંત્રએ કર્યો પાકનો સર્વે

ઝી 24 કલાક ફરીએકવાર ખેડુતોની વહારે આવ્યું છે. ઝી 24 કલાકના અહેવાલની ફરીએકવાર ઇમ્પેક્ટ સામે આવી છે. મહેમદાવાદ તાલુકાના ખેડુતોને કમોસમી વરસાદના કારણે થયેલ નુકશાનનું વળતર મળસે તેમ ધારાસભ્ય અર્જુનસિહ ચૌાહણ તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યુ છે. મહત્વની વાત છેકે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતીમાં નુકશાનીનો સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં ઓછો વરસાદ થયો છે, તેવા બહાના થકી સમગ્ર તાલુકામાં સર્વે કરવામાં આવ્યો ન હતો.

Trending news