આજે ગજેન્દ્રસિંહ શેખાવતની આગેવાનીમાં ભાજપની યોજાશે મહત્વપૂર્ણ બેઠક

ગુરુવારે ભાજપની મહત્વની બેઠકો ગાંધીનગરમાં યોજાશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની આગેવાનીમાં પાંચ રાજ્યોની બેઠક યોજાશે. મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દાદરાનગર હવેલી અને દીવના સંગઠનના હોદ્દેદારો પ્રદેશ કાર્યાલય ખાતે હાજર રહેશે. કલમ 370 દૂર થયા બાદ જમ્મુ કાશ્મીર મુદ્દે ભાજપ હવે લોકો સુધી પહોંચશે અને તે માટે જનસંપર્ક અભિયાનની શરુઆત થઇ છે. કેન્દ્રીય સ્તરે ગૃહમંત્રી અને કાર્યકારી અધ્યક્ષે જનસંપર્ક અભિયાન શરુ કરાવ્યા બાદ હવે રાજ્યોમાં પણ આ સંપર્ક અભિયાન શરુ થશે જેમાં રાજ્યોના જાણીતા લોકો સુધી ભાજપ પહોંચશે.

Trending news