કોંગ્રેસ પેટા ચૂંટણી હારશે તો નેતૃત્વ જવાબદાર: પરેશ ધાનણી

ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસને જનતાના આશીર્વાદ મળશે તેવો દાવો વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો. ઝી 24કલાક સાથેની ખાસ વાતચીતમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્વીકાર કર્યો કે, કોંગ્રેસની પરિણામ આવશે તો મતદારોનો વિજય હક ગણાશે અને કોંગ્રેસની ફીવરમાં પરિણામ ન આવે તો કોંગ્રેસનું નેતૃત્ત્વ તેના માટે જવાબદાર ગણાશે. રાધનપુર અને બાયડ વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સ્વાર્થ અને સ્વાભિમાનની લડાઈના પરિણામ સમાન હશે. કોંગ્રેસને વિશ્વાસ છે કે, આ પેટાચૂંટણીમાં સ્વાર્થની રાજનીતિને મતદારો જાકારો આપશે.

Trending news