IPS મનોજ શશિધરને રાજ્ય સરકારમાંથી કરાયા રિલિવ

IPS મનોજ શશિધરને ફરજ પરથી છૂટા કરાયા છે. અધિક પોલીસ મહાનિદેશક સીઆઈડી (ઈન્ટેલિજન્સ)થી છૂટા કરાયા છે. ખાલી જગ્યાનો હવાલો સંજય શ્રીવાસ્તવ આઈપીએસ (1987)નેં સોંપાયો છે. અધિક પોલીસ મહાનિદેશક (જીયુવિએનએલ)નો શશિધરનો હસ્તકનો હવાલો કેજી ભાટી (આઈપીએસ 1999)નેં સોંપાયો છે. Cid ઇન્ટેલિજન્સના એડિશનલ ડીજીપી મનોજ શશિધરને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ મળતા રાજ્ય સરકારમાંથી રિલિવ કરાયા છે. મનોજ શશીધર હવે સીબીઆઈમાં જોઈન્ટ ડિરેક્ટરનો પદભાર સંભાળશે.

Trending news