જનતા ભાજપ અને અજિત પવારને પાઠ ભણાવશે: સંજય રાઉત

રાતોરાત સત્તા હાથમાંથી સરકી જતા અને મુખ્યમંત્રી બનવાનુ સપનુ રગદોળાઈ જતા શિવસેના (ShivSena) ના ખેમામાં જોરદાર સોપો પડ્યો છે. જે સત્તા મેળવવા માટે 24 ઓક્ટોબરથી ખેંચતાણ ચાલી રહી હતી, તે શિવસેનાએ ગુમાવી દીધી છે. હવે શિવસેનાના હાથમાં કંઈ જ નથી રહ્યું. ત્યારે શિવસેનના નેતા સંજય રાઉતે (Sanjay Raut) પ્રેસ કોન્ફરન્સ કહીને પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. તેમજ અજીત પવારના નિર્ણયમાં શરદ પવાર (Sharad Pawar) નો કોઈ જ હાથ નથી તેવું સ્પષ્ટપણે કહ્યું હતું.

Trending news