રતનપુર તળાવમાં દૂષિત પાણી છોડવા મામલે ઝી 24 કલાકના અહેવાલની અસર

શહેરના વસ્ત્રાલના રતનપુર તળાવમાં મ્યુનિસિપલ કોર્પોરેશને જ દૂષિત પાણી છોડવાના મામલે ઝી 24 કલાકે દર્શાવેલા અહેવાલની અસર થઇ છે. એએમસીના પૂર્વ ઝોનના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને વિવિધ મશીનરીની મદદથી દૂષિત પાણીને રોકવાના પ્રયત્ન શરૂ કર્યા છે. ઝી 24 કલાકે અહેવાલ દર્શાવ્યો હતો કે વસ્લત્રાલ રતનપુર તળવાની ડેવલપિંગની કામગીરી ચાલી રહી છે.. જે દરમિયાન ખુદ એએમસીની ડ્રેનેજ લાઈનમાંથી ગટરના પાણી સીધા નવા વિકસી રહેલા તળાવમાં છોડવામાં આવતા હતા. જેના કારણે સ્થાનીકો ભારે પરેશાની અનુભવી રહ્યા હતા.

Trending news