વાઘની દહેશત વચ્ચે ઝી 24 કલાકનો ખાસ રિપોર્ટ, 3.5 કિલોમીટર ચાલીને જંગલમાં પહોંચી ટીમ

મહીસાગર જિલ્લાનાં જંગલોમાં વાઘ હોવાના સમાચાર વહેતા થતાં ઝી 24 કલાકની ટીમ મહીસાગરના કંતાર ગામ પહોંચી... જ્યાંથી સાડા ત્રણ કિલોમીટર ચાલી ઝી 24 કલાકની ટીમ જંગલની અંદર પહોંચી... મહિસાગરના વાઘે એક ભૂંડનું મારણ કર્યું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે... હાલ જંગલ વિભાગની ટીમ તપાસ કરી રહી છે... જો કે જૈસોલા પંચાયતના સરપંચ અને વન વિભાગ વાઘ હોવા અંગે ઈનકાર કરી રહ્યું છે... ગામલોકોએ ઝી 24 કલાકને જણાવ્યું કે, રાત્રે વાઘ જેવો અવાજ સંભળાય છે... જંગલમાં ઝાડ પર પંજાનાં નિશાન મળી આવતાં લોકોને આશંકા છે કે જંગલમાં ફરીથી વાઘ પાછો આવી પહોંચ્યો છે. મહીસાગર જિલ્લાના જંગલમાં એક વર્ષ પહેલાં જે જગ્યાએથી વાઘનો મૃતદેહ મળ્યો હતો એ જ જગ્યાએ ફરીથી વાઘના પંજાનાં નિશાન મળી આવતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Trending news