આ ગીતના શાહિદમાં દરેક નિષ્ફળ પ્રેમીને દેખાશે તેનો ચહેરો !

શાહિદ કપૂર અને કિયારા અડવાણીની નવી ફિલ્મ ‘કબીર સિંહ’નું ટ્રેલરનું હાલમાં રિલીઝ થયું છે. હવે આ ફિલ્મનું એક ગીત રીલિઝ થયું છે. ‘બેખ્યાલી’ ગીતમાં શાહિદ અને કિયારાની લવ સ્ટોરીની એક ઝલક જોવા મળે છે. 

આ ગીતના શાહિદમાં દરેક નિષ્ફળ પ્રેમીને દેખાશે તેનો ચહેરો !

મુંબઈ : શાહિદ કપૂર અને કિયારા અડવાણીની નવી ફિલ્મ ‘કબીર સિંહ’નું ટ્રેલરનું હાલમાં રિલીઝ થયું છે. હવે આ ફિલ્મનું એક ગીત રીલિઝ થયું છે. ‘બેખ્યાલી’ ગીતમાં શાહિદ અને કિયારાની લવ સ્ટોરીની એક ઝલક જોવા મળે છે. આ ગીત સચેત ટંડને ગાયું છે જ્યારે ગીતના શબ્દો ઈર્શાદ કામિલે લખેલા છે. આ ગીતની લાંબા સમય સુધી રાહ જોવાઈ રહી હતી કારણ કે, ફિલ્મના ટ્રેલના બેગ્રાઉડમાં આ ગીત સાંભળી શકાતું હતું.

શાહિદે આ ફિલ્મ માટે આકરી મહેનત કરી છે. આ ફિલ્મ માટે શાહિદ રોજ સ્મોકિંગ કરતો હતો. શૂટિંગ દરમિયાન તે રોજ 20 કરતા વધુ સિગરેટ-બીડી પીતો હતો. સ્મોકિંગની ગંધ દૂર કરવા અને ઘરે જઈને બાળકોને મળતા પહેલા તે બે કલાક સુધી ન્હાતો હતો. આ ફિલ્મમાં એન્ગ્રી યંગ મેનવાળા લુકની સાથે શાહિદ કપૂર પહેલાં કોલેજ બોય અને પછી એક ડોક્ટરનો રોલ કરવાનો હતો. આ રોલ માટે શાહિદે પહેલા 8 કિલો વજન વધાર્યું જેથી તે એક દારૂડિયા જેવો દેખાઈ શકે. આ પછી કોલેજ સ્ટુડન્ટવાળો લુક મેળવવા માટે આશરે 12 કિલો વજન ઘટાડ્યું હતું.

શાહિદ આ ફિલ્મમાં એક ડોક્ટરનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કિયારા તેની પ્રેમિકા છે. કિયારાના લગ્ન બીજે થતા કબીર તેનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને ખોટા રસ્તે ચડી જાય છે. આ ફિલ્મ સાઉથની ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક છે. સંદિપ રેડ્ડી વાંગ આ ફિલ્મના ડાયરેક્ટર છે. આ ફિલ્મમાં શાહિદ એક ડ્રગ્સ એડિક્ટ અને દારુડિયો છે. આ ફિલ્મ તા. 21 જૂનના રોજ સિનેમાઘરમાં આવી રહી છે. ફિલ્મમાં શાહિદ એક એવા પ્રેમીનો રોલ કરી રહ્યો છે જેનું દિલ તુટે છે અને પછી તેની જિંદગી અનોખો વળાંક લઈ લે છે. દિલ તૂટ્યા બાદ ખૂબ ખરાબ હાલતમાંથી પસાર થઈ રહેલા પ્રેમીના રોલમાં શાહિદે જીવ ફુંકી દીધો છે.

મૂળ આ ફિલ્મ રણવીર સિંહ કરવાનો હતો. ડાયરેક્ટર સંદીપ વાંગા અર્જુન રેડ્ડી ફિલ્મમાં રણવીર સિંઘને લેવા ઇચ્છતા હતા પરંતુ પદ્માવતી પછી પોતે નેગેટિવ શેડ્સ ધરાવતા રોલ્સ ઓછા કરવા માગે છે એવું જણાવીને રણવીર સિંહે આ ફિલ્મ જતી કરી હતી. આ પછી ફિલ્મ સર્જકે શાહિદ કપૂરનો સંપર્ક સાધ્યો હતો અને શાહિદને આ સ્ક્રીપ્ટ પસંદ પડતાં એણે ફિલ્મ કરવાની હા પાડી હતી. પદ્માવતીમાં રાજપૂત રાજવીનો રોલ કર્યા બાદ શાહિદ માટે આ સાવ અલગ રોલ હતો કારણ કે એમાં નેગેટિવ શેડ્સ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news