લતા મંગેશકરે ઋષિ કપૂરને કર્યાં યાદ, કહ્યું- 'Karz'ની જેમ થાય પુનર્જન્મ

પાંચ દાયકાની ફિલ્મી સફરમાં 150થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર ઋષિ કપૂરનું ગુરૂવારે કેન્સર સામે બે વર્ષ લડ્યા બાદ નિધન થઈ ગયું હતું.
 

લતા મંગેશકરે ઋષિ કપૂરને કર્યાં યાદ, કહ્યું- 'Karz'ની જેમ થાય પુનર્જન્મ

નવી દિલ્હીઃ મહાન ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar)ની ઈચ્છા છે કે સુભાષ ઘઈની 1980ની સુપરહિટ ફિલ્મ 'કર્ઝ'ની કહાની સાચી સાબિત થાય અને અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)નો પુનર્જન્મ થાય. પોતાના પાંચ દાયકાની ફિલ્મી સફરમાં 150થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર ઋષિ કપૂરનું ગુરૂવારે કેન્સર સામે બે વર્ષ લડ્યા બાદ નિધન થઈ ગયું હતું. લતાજીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઋષિ કપૂરનો જે રીતે તે ફિલ્મમાં મૃત્યુ બાદ પુનર્જન્મ થયો હતો, તેઓ ઈચ્છે છે કે રિયલ લાઇફમાં પણ તેમ થાય. 

ટ્વીટ કરી કહી આ વાત
તેમણે લખ્યું, 'ઋષિ જી તમે ખુબ યાદ આવી રહ્યાં છો અને હંમેશા યાદ આવતા રહેશો. તે વિચારવું પાગલપણું લાગશે, પરંતુ તેમ થઈ શકે જેમ તમે કર્ઝ ફિલ્મમાં પરત આવ્યા હતા, ખરેખર અસલ જિંદગીમાં પણ તમે પરત આવી જાવ તો કેટલું સારૂ. તેમણે આ ફિલ્મના એક ગીત 'ઓમ શાંતિ ઓમ'નો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.' લતાજીએ લખ્યું, 'કર્ઝ એક એવા વ્યક્તિની કહાની છે જેની હત્યા તેની પત્ની કરી દે છે પરંતુ તે બદલો લેવા માટે બીજો જન્મ લે છે.'

— Lata Mangeshkar (@mangeshkarlata) May 2, 2020

તેમણે ગુરૂવારે બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર ટ્વીટ કરી હતી, જેમાં તેઓ બાળક ઋષિને પોતાની કાખમાં તેડ્યો હતો. તેમણે કહ્યું, થોડા દિવસ પહેલા જ ઋષિએ મને તે તસવીર મોકલી હતી. હું તે દિવસ અને અમારી વાતચીતને યાદ કરી રહી છું. મારી પાસે શબ્દો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news