ભાજપના થયા કોંગ્રેસના સંકટમોચક! કહ્યું; 'કોઈ પદની લાલચ નહીં, મારી કેપિબલિટી જોવામાં આવી છે'

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં એક તરફ આપ તો બીજી તરફ કોંગ્રેસ તૂટી રહ્યું છે. એક બાદ એક ધારાસભ્યો કેસરિયાને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. આ લીસ્ટમાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નામ સામેલ સાથે થઈ ગયું છે. ઉત્તર ગુજરાતનું મોટું માથું ગણાતા રાજપૂત સમાજના અગ્રણી, એક સમયે જ ગુજરાત સરકારમાં ઈમાનદાર છબી ધરાવતા મોટા અધિકારી હતા.

ભાજપના થયા કોંગ્રેસના સંકટમોચક! કહ્યું; 'કોઈ પદની લાલચ નહીં, મારી કેપિબલિટી જોવામાં આવી છે'

ઝી બ્યુરો/મહેસાણા: લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં એક તરફ આપ તો બીજી તરફ કોંગ્રેસ તૂટી રહ્યું છે. એક બાદ એક ધારાસભ્યો કેસરિયાને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. આ લીસ્ટમાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નામ સામેલ સાથે થઈ ગયું છે. ઉત્તર ગુજરાતનું મોટું માથું ગણાતા રાજપૂત સમાજના અગ્રણી, એક સમયે જ ગુજરાત સરકારમાં ઈમાનદાર છબી ધરાવતા મોટા અધિકારી હતા. એવા સી.જે.ચાવડાએ વર્ષો પહેલાં કોંગ્રેસ સાથે રાજનીતિમાં કરિયરની શરૂઆત કરી અને હવે ભાજપમાં જોડાઈ ગયા છે.  વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા તેમના કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે.  સી જે ચાવડાએ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. 

વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા તેમના કાર્યકરો ભાજપમાં જોડાયા ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, બહુચરાજી, ઊંઝા, કડીના ધારાસભ્યો, લોકસભા સાંસદ શારદાબેન પટેલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં. ઋષિકેશ પટેલે ટોપી પહેરાવીને સીજે ચાવડાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ચાવડાએ કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ અને બની બેઠેલા હાઈકમાન્ડના નેતાઓ સામે અનેક સવાલ ઉઠાવ્યા હતા.

સી.જે.ચાવડાએ શું કહ્યું ?
ભાજપમાં જોડાવા મામલે સી જે ચાવડાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આજથી હું કોંગ્રેસમાં નથી રહ્યો, હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. હું વિકાસની વિચારધારા અને ભાજપની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થઈને જોડાઈ રહ્યો છું. કોઈ પદની લાલચ આપવામાં આવી નથી. મારી કેપિબલિટી જોવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે. કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ અટવાયેલી છે. ભટકાયેલી કોંગ્રેસને જોઈએ એ દિશા બતાવવા લિડરશીપ જેવું કોઈ રહ્યું નથી. સર્જીકલ સ્ટ્રાઈક, રામ મંદિર, કોરોના વેકસીનની વાત હોય આવામાં નેગેટીવિટી ના હોય. આજે 1500 કાર્યકરો અને અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે. મેં આ જિલ્લામાં કામ કર્યું છે. કોને શું જોઈએ એ હું માહિતગાર છું, અને મારે જે કામ કરવાનું થશે. જ્યાં ચૂંટણી લડવાની થશે. એના માટે હું તૈયાર છું. 

ઈમાનદાર છબિ ધરાવતા ગુજરાત સરકારના પૂર્વ અધિકારી:
રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી જે ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. તેઓ સરળ, સૌમ્ય અને ઈમાનદાર છબી ધરાવનાર અધિકારી હતા. તેમજ સાથી કર્મીઓ અને અધિકારીઓ માટે આદર્શ સ્વરૂપ હતા. તેમણે વેટરનરી સર્જનની ડીગ્રી મેળવેલ છે અને તેઓના પર એક પણ કેસ થયેલ નથી અને તેઓ એક પ્રકાર રાજપૂત સમાજમાં પણ સારી એવી નામના ધરાવે છે અને સમાજિક મોભાદાર માણસ તરીકે તેઓની ગણના થાય છે.

કોણ છે સી જે ચાવડા?
ગાંધીનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યને એક શ્રેષ્ઠ અને આદર્શ રાજકારણી તરીકે વક્તા ઊંડા અભ્યાસુ, સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા ડૉ. સી.જે. ચાવડા મૂળમાં એક કર્મઠ, નિષ્ઠાવાન અને સુઝબુઝ ધરાવતા પ્રામાણિક અધિકારી તરીકેની આગવી ઓળખ ધરાવે છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી, 1967માં ગાંધીનગર ખાતે થયો હતો.

સી.જે.ચાવડાનો પરિવારઃ
તેમના પિતાનુ નામ જાવાનજી ચાવડા છે. સી જે ચાવડાનુ આખુ નામ ચતુરસિંહ જે. ચાવડા છે. સી જે ચાવડાએ વર્ષ 1974માં બરોડાથી ધોરણ 10 પાસ કર્યું હતું. આ બાદ તેમણે આગળ અભ્યાસ કર્યો અને વર્ષ 1980માં ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતેથી વેટર્નીટી સર્જનની ડિગ્રી મેળવી હતી. સી જે તાવડા એલએલબીનો પણ અભ્યાસ કરી ચૂક્યાં છે. જણાવી દઈએ કે તેમણે વર્ષ 1989માં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ પણ કર્યો છે. હાલ તે ગુજરાતના રાજકારણમાં સક્રિય છે.

રાજકીય કારકિર્દી-
રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી જે ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. તેઓ સરળ, સૌમ્ય અને ઈમાનદાર છબી ધરાવનાર અધિકારી હતા. તેમજ સાથી કર્મીઓ અને અધિકારીઓ માટે આદર્શ સ્વરૂપ હતા. ગાંધીનગરના દરેક ગામડાઓમાં રોડ, બોર, શાળા, દવાખાના, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ જેવા કેટલાય નાના મોટા કામો કરી ભારે લોકચાહના મેળવી હતી. સી જે ચાવડાની કાર્યક્ષેલી જોઈને શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં પ્રવેશવા અપીલ કરી હતી. જે બાદ તેઓએ 2002માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા. 2007ની ચુંટણી હારી ગયા હતા અને 2017ની વિધાનસભાની ચુંટણી ફરીથી જીત્યા હતા. ભાજપના સૌથી કદાવાર નેતા અમિત શાહની સામે લોકસભા ચુંટણી લડી હતી. સી.જે ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં વિવિધ હોદા પર પણ ફરજ બજાવે છે.

અમિત શાહ સામે લોકસભા લડ્યા હતાં સી.જે.ચાવડાઃ
ડિસેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર ઉત્તરની બેઠક ડો.સી.જે.ચાવડા સાડા ચાર હજાર મતે જીત્યા હતા. જે બાદ કોંગ્રેસે 16 મહિના પછી લોકસભાની ચૂંટણી જંગમાં ગાંધીનગર બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સામે સ્થાનિક ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાને જ ઉતાર્યા હતા. જો કે આ પરિણામોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. સાથે સાથે વિધાનસભા વખતે કોંગ્રેસના જે મતદારો હતા તે પણ પક્ષે ગુમાવ્યા હતા. વિધાનસભા અને લોકસભાના પરિણામોનું તારણ કાઢીએ તો વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર ઉત્તર બેઠક ઉપર ડો. સી. જે. ચાવડાને ભાજપના ઉમેદવાર કરતાં સાડા ચાર હજાર મત વધુ મળ્યા હતાં. જ્યારે લોકસભાના પરિણામ ઉપર નજર કરીએ તો વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં સી.જે.ચાવડાને ગાંધીનગર ઉત્તર બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરતાં 28 હજાર મત ઓછા મળ્યાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news