GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 2 લાખથી વધુ લોકોનું રસીકરણ, નવા કેસ કરતાં સાજા થતા દર્દીઓની સંખ્યા ડબલ

રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 600 ની આસપાસ પહોંચી ગઈ છે

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 2 લાખથી વધુ લોકોનું રસીકરણ, નવા કેસ કરતાં સાજા થતા દર્દીઓની સંખ્યા ડબલ

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 600 ની આસપાસ પહોંચી ગઈ છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે અને સાજા થતા દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 644 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 1,675 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,94,703 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.11 ટકાએ પહોંચ્યો હતો. 

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 13,683 એક્ટિવ દર્દી છે, જે પૈકી 346 લોકો વેન્ટિલેટર પર છે અને 13,337 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,94,703 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,965 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 3 અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

આ ઉપરાંત સુરતમાં 1, વડોદરામાં 1, જૂનાગઢમાં 1, મહિસાગરમાં 1, અમરેલીમાં 1, અને જામનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 10 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,66,222 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news