GUJARAT CORONA UPDATE: નવા 33 કેસ, 71 દર્દીઓ રિકવર થયા, 1 દર્દીનું મોત નિપજ્યું

GUJARAT CORONA UPDATE: નવા 33 કેસ, 71 દર્દીઓ રિકવર થયા, 1 દર્દીનું મોત નિપજ્યું

* 25 જિલ્લા કે કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયો નહી

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનો આંક તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં નવા માત્ર 33 કેસ જ આવ્યા છે. આ ઉપરાંત 71 દર્દી આજના દિવસમાં સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,13,924 દર્દીઓએ ગુજરાતમાં કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે રાજ્યમાં સાજા થવાનો દર 98.72 એ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 

જો રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 493 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. 488 લોકો સ્ટેબલ છે. 8,13,924 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. 10076 લોકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 

રાજ્યનાં એક પણ જિલ્લા કે શહેરમાં 5 થી વધારે કેસ નથી. રાજ્યનાં સૌથી મોટા શહેર અમદાવાદ કોર્પોરેશનમાં 4 કેસ આવ્યા છે. સૌથી વધારે કેસ વડોદરા કોર્પોરેશન 5 છે.  આ ઉપરાંત સુરત કોર્પોરેશનમાં 4, તાપીમાં 4 કેસ છે. અમરેલી, બનાસકાંઠા, ગીરસોમનાથ, જામનગર કોર્પોરેશનઅને સાંબરકાંઠામાં 2-2 કેસ છે. જ્યારે જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, રાજકોટ, વડોદરા, વલસાડમાં 1-1 કેસ છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. આ પ્રકારે કુલ 33 કેસ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news