સુરતનો પિશાચી પિતા: ઉંઘવામાં ખલેલ પડતા ઉવેશ શેખે 8 મહિનાની દિકરીને મોતને ઘાટ ઉતારી

સમગ્ર ગુજરાતને હાલ કોરોનાએ પોતાના ભરડામાં લીધું છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉનનાં કારણે મોટા ભાગના કામ ધંધા બંધ છે. જો કે લોકો ઘરે રહીને પણ કંટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઘરકંકાસના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી જ એક ચકચારી ઘટનામાં પિતાએ પોતાની જ પુત્રીને મારી નાખી હતી.

સુરતનો પિશાચી પિતા: ઉંઘવામાં ખલેલ પડતા ઉવેશ શેખે 8 મહિનાની દિકરીને મોતને ઘાટ ઉતારી

સુરત : સમગ્ર ગુજરાતને હાલ કોરોનાએ પોતાના ભરડામાં લીધું છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉનનાં કારણે મોટા ભાગના કામ ધંધા બંધ છે. જો કે લોકો ઘરે રહીને પણ કંટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઘરકંકાસના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી જ એક ચકચારી ઘટનામાં પિતાએ પોતાની જ પુત્રીને મારી નાખી હતી.

સુરતનાં સલાબતપુરાના રેશમવાડમાં આઠ મહિનાની બાળકીને તેના જ પિતાએ મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે. બાળકી વારંવાર રડતી હોવાનાં કારણે પિતાને ઉંઘવામાં ખલેલ પડતો હોવાથી ઉશ્કેરાયેલા પિતાએ પોતાની 8 મહિનાની બાળકીની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે જાણ્યા બાદ પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઇ છે.

ઘટના અંગે માહિતી મળતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સલાબતપુરા પોલીસ દ્વારા હત્યારા રાક્ષસપિતા ઉવેશ શેખની ધરપકડ કરી છે. હાલ તો તેને કસ્ટડીમાં લઇને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. હાલ સમગ્ર વિસ્તારમાંથી આ પિશાચી પિતા પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news