Kamlesh Tiwari Murder: હત્યારાઓને પિસ્તોલ આપનાર આરોપી પકડાયો, થોડો સમય ગુજરાતમાં રહ્યો હતો

હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder) માં પિસ્તોલ આપનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુપી અને ગુજરાત એટીએસ (Gujarat ATS) એ કાનપુરથી યુસુફ ખાનની ધરપકડ ગઈકાલે કરી છે. મૂળ યુપીના ફતેહપુરના રહેવાસી યુસુફે સુરત (Surat) ના હત્યારાઓને પિસ્તોલ આપી હતી. તે થોડો સમય ગુજરાતમાં પણ રહ્યો હતો.
Kamlesh Tiwari Murder: હત્યારાઓને પિસ્તોલ આપનાર આરોપી પકડાયો, થોડો સમય ગુજરાતમાં રહ્યો હતો

અમદાવાદ :હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder) માં પિસ્તોલ આપનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુપી અને ગુજરાત એટીએસ (Gujarat ATS) એ કાનપુરથી યુસુફ ખાનની ધરપકડ ગઈકાલે કરી છે. મૂળ યુપીના ફતેહપુરના રહેવાસી યુસુફે સુરત (Surat) ના હત્યારાઓને પિસ્તોલ આપી હતી. તે થોડો સમય ગુજરાતમાં પણ રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના સુરતના હત્યારાઓને યુસુફે જ પિસ્તોલ આપી હતી. યુપી અને ગુજરાત એટીએસએ કાનપુરના ઘંટાઘરમાંથી યુસુફની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ખુર્શીદબાગ વિસ્તારમાં હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની 18 ઓક્ટોબરના રોજ બપોરે હત્યા કરવામાં આવી હતી. ભગવો કુરતો પહેરીના આવેલા યુવકોએ પહેલા ચાકુ અને બાદમાં ગોળીઓથી ક્રુરતાપૂર્વક કમલેશ તિવારીની હત્યા કરી હતી. 

આ હત્યાકાંડમાં ગુજરાત એટીએસએ ત્રણ હત્યારાઓ મૌલાના મોહસીન શેખ સલીમ, રશીદ અહેમદ પઠાણ અને ફૈઝાનીન ધરપકડ કરી હતી. પૂછપરછમાં હત્યા કરનારાઓમાં સુરતના જ અન્ય આરોપી અશફાક અને મોહઈનુદ્દીનના નામ સામે આવ્યા હતા. ગુજરાત એટીએસએ 22 ઓક્ટોબરના રોજ બંનેની ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પરથી ધરપકડ કરી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news