સોમનાથના 'મહા' આરતી, કાર્તિકી મેળો માણવા જતા ભાવિકો માટે મહત્વના સમાચાર

સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર એલર્ટ પર છે ત્યારે સોમનાથના કાર્તિકી મેળાને રદ્દ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે

સોમનાથના 'મહા' આરતી, કાર્તિકી મેળો માણવા જતા ભાવિકો માટે મહત્વના સમાચાર

વેરાવળ : મહા વાવાઝોડાની અસર હાલ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતનાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે દરિયા કિનારાના જિલ્લાઓમાં તંત્ર એલર્ટ પર છે. આ ઉપરાંત દરિયા કિનારાના પ્રવાસન સ્થળો પરથી પણ નાગરિકો પરત ફરી રહ્યા છે. વિવિધ આયોજનો પણ રદ્દ કરવામાં આવી રહ્યા છે. મહાને કારણે દરિયાકાંઠે યોજાતા મેળાઓ પૈકી આ બીજો મેળો રદ્દ થયો છે. અગાઉ માધોપુરનો મેળો પણ રદ્દ કરવામાં આવ્યો હતો. 

સોમનાથ મંદિર ખાતે દર વર્ષે આયોજીત કાર્તિકી મેળાને પણ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 8-12 દરમિયાન કાર્તિકી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે મહા વાવાઝોડુ આ તારીખ દરમિયાન જ સોમનાથના દરિયાની આસપાસ ટકરાય અથવા તેની અસર વર્તાય તેવી શક્યતાઓ જોતા હાલ તો આ મેળાને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડાયરા સહિતના કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા છે. 

અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય, જામનગરના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે કાર્તિકી મેળાનું સોમનાથ મંદિર દ્વારા આયોજન કરવામાં આવેછે. આ મેળામાં મંદિર મોડી રાત સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. મોડી રાતે મહાદેવની મહાઆરતી કરવામાં આવતી હોય છે. આ મેળામાં સૌરાષ્ટ્રનાં લાખો લોકો હાજર રહે છે. ડાયરાથી માંડીને વિવિધ આયોજનો પણ કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે વાવાઝોડાની આગાહીને પગલે આયોજન રદ્દ કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news