ખેડૂત સહકારી મંડળીના પૈસા લાખો રૂપિયા લઇને મંત્રી રફૂચક્કર, જાણો તમારા પૈસા તો નથી ફસાયા?

આજે એક એવા મી. નટવરલાલની વાત કરવી છે. જેણે પોતે જ્યાં નોકરી કરતા હતો, ત્યાં જ પૈસા ની ઉચાપત કરીને તે પૈસાથી જલસા કરી રહ્યો છે.

ખેડૂત સહકારી મંડળીના પૈસા લાખો રૂપિયા લઇને મંત્રી રફૂચક્કર, જાણો તમારા પૈસા તો નથી ફસાયા?

દિનેશ ચંદ્રાવાડીયા/ રાજકોટ : આજે એક એવા મી. નટવરલાલની વાત કરવી છે. જેણે પોતે જ્યાં નોકરી કરતા હતો, ત્યાં જ પૈસા ની ઉચાપત કરીને તે પૈસાથી જલસા કરી રહ્યો છે. પૈસાની લાલચ માણસને કઈ પણ કરાવે છે. લાલચુ વ્યક્તિ પૈસાની લાલચમાં જગ્યા અને સ્થળ પણ ભૂલી જાય છે. આવી જ લાલચમાં ધોરાજીમાં રહેતા અને કિસાન સહકારી  મંડળીમાં નોકરી કરતા કર્મચારીએ ઉચાપત કરી છે અને પોલીસ હવે તેના વિરુદ્ધ કાયદેસરની કર્યવાહી કરી રહી છે.

શું છે ઘટના?
ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં આવેલ કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળી લી. આ મંડળીમાં નોકરી કરતા અને માત્ર 6 માસ પહેલા રાજીનામુ આપેલા પૂર્વ કર્મચારી મેનેજર મંડળીના મંત્રી વગેરેની જવાદારી સંભાળતા કર્મચારીએ જ મંડળીના 14  લાખ 40 હજાર રૂપિયા ઉપરની ઉચાપત કરી લીધી હતી. મંડળીના રોજમેળ, સહીતના રજીસ્ટરમાં છેડછાડ કરીને મંડળી સાથે વિશ્વાસઘાત કરીને ઉચાપત કરી છે જે બાબતની ફરિયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને પોલીસે આ બાબતની તપાસ પણ શરૂ કરી છે.

કોણ છે આ મંડળીનો કર્મચારી ?કેવી રીતે કરી ઉચાપત ?
ધોરાજીમાં કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળી ચાલે છે, તેમાં ધોરાજીના જ રહેવસી એવા નટવરલાલ નાથાલાલ બાલધા જે આ મંડળીમાં મંડળી શરૂ થઇ ત્યારથી અહીં મંડળીના મંત્રી તરીકે નોકરી કરતા હતા. સાથે સાથે મંડળીની તમામ કામગીરી તેઓ મંડળીમાં કરતા હતા. કહેવાય તો તે મંડળીનો તમામ વહીવટ કરતા હતા. વર્ષ 2020 ના જુલાઈમાં 21 તારીખે તેમણે સ્વૈચ્છિક રાજીનામુ આપી દીધું હતું. ત્યારે મંડળીના નિયમો મુજબ મંડળીના પ્રમુખ દ્વારા આ બાબતે ભવિષ્યમાં જો કોઈ ગોટાળા નીકળે તો તે બારાની તમામ જવાદારી આ કર્મચારી નટવરલાલની રહેશે તેવી બાબતની તમામ લેખિત બાહેંધરી સાથે કર્મચારી નટવરલાલનું રાજીનામુ મંજુર કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મંડળીનો હિસાબ તપાસતા આ મી. નટવરલાલે મંડળીના 17 ચેકો વટાવીને પોતાના ખાતામાં જમા કરી લીધા હતા, સાથે કોરા ચેક પણ વટાવીને પોતાના અંગત ખાતામાં જમા કરાવી લીધા હતા. સાથે સાથે મંડળીમાં ખોટા ઠરાવ ઉભા કર્યા હતા અને ઠરાવ નંબર 5 કરીને તેમાં તેઓએ આર્થિક લાભ લેવા માટેની જોગવાઈ ઉભી કરી હતી અને તેના આધારે મંડળીની ફિક્સ ડિપોઝિટ પણ વટાવી લીધી હતી. સાથે પોતે મંડળીના મંત્રી હોય અને વિશ્વાસઘાત કરીને તેણે મંડળીના ચેકોમાં ખોટી સહીઓ કરીને મંડળીના ટ્રસ્ટીઓની જાણ બહાર ચેકો વટાવી લીધા હતા અને તમામ રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

જેની જાણ મંડળીના ટ્રસ્ટી અને અન્યને થતા તેઓએ આ બાબતની ફરિયાદ ધોરાજી પોલીસમાં નોંધાવી હતી. ધોરાજી પોલીસે આ બાબતની તપાસ શરૂ કરી છે. રાજીનામાં બાદ સામે આવેલ ઉચાપતના પગલે આ મી. નટવરલાલે મંડળી સાથે સમાધાન કરવા માટે મંડળીની ઓફિસમાં આવેલ હતા અને ત્યાં 14 લાખ 40 હજાર રૂપિયાની સામે 5 લાખ માં પતાવટ કરવા માટે પ્રયત્ન કરેલ હતો જે તમામ વાતચીતનો વિડ્યો મંડળીના CC TV માં રેકોર્ડ થઇ ગયેલ હોય, જેના આધારે ધોરાજી પોલીસે તપાસ શરૂ કરેલ છે. હાલ તો ધોરાજી પોલીસે આ મી. નટવરલાલની ઘરપક્કડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news