પક્ષીઓને બચાવવા માટે 5 દિવસમાં 1283થી પણ વધારે કોલ મળ્યાં

14 જાન્યુઆરી રોજ જ્યારે એક તરફ શહેરીજનો પતંગ ઉડાવી ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા ત્યારે બીજી તરફ વૃક્ષો પર ફસાયેલી અને માર્ગો તેમજ તાર પર લટકતી પતંગની દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થયા. શહેરીજનોએ માણેલી પતંગની મજા પક્ષીઓ માટે સજા સાબિત થઈ. છેલ્લા 5 દિવસમાં ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે કુલ 1283 કોલ આવ્યા જેમાંથી 102 પક્ષીઓના મોત નિપજ્યા.
પક્ષીઓને બચાવવા માટે 5 દિવસમાં 1283થી પણ વધારે કોલ મળ્યાં

અતુલ તિવારી/અમદાવાદ : 14 જાન્યુઆરી રોજ જ્યારે એક તરફ શહેરીજનો પતંગ ઉડાવી ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા ત્યારે બીજી તરફ વૃક્ષો પર ફસાયેલી અને માર્ગો તેમજ તાર પર લટકતી પતંગની દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થયા. શહેરીજનોએ માણેલી પતંગની મજા પક્ષીઓ માટે સજા સાબિત થઈ. છેલ્લા 5 દિવસમાં ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે કુલ 1283 કોલ આવ્યા જેમાંથી 102 પક્ષીઓના મોત નિપજ્યા.

માત્ર 14 જાન્યુઆરીની જ વાત કરીએ તો અમદાવાદમાંથી 709 પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા. આ 709 પક્ષીઓમાંથી 60 પક્ષીઓ મૃત્યુ પામ્યા જ્યારે 649 જેટલા પક્ષીઓને સારવાર આપીને બચાવી લેવામાં સફળતા મળી. પતંગની દોરી પક્ષીઓના ગાળા, પાંખો અને પગમાં ફસાતા અનેક ઘાયલ પક્ષીઓની જુદા જુદા NGO તેમજ વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે મોડી રાત સુધી સારવાર કરાઈ જેમાં કેટલાક પક્ષીઓની પાંખો કાપવાની પણ ફરજ પડી. 

જો કે ઉત્તરાયણ પહેલા રાજ્ય સરકાર તેમજ કેટલીક સંસ્થાઓ દ્વારા ચાઈનીઝ દોરીનો વપરાશ ન કરવા ચલાવવામાં આવતા કેમ્પઈનની અસર પણ જોવા મળી. ઘાયલ પક્ષીઓના આંકડાઓની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 30% થી 40% પક્ષીઓ ઓછા ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. દિવસ દરમિયાન રેસ્ક્યુ માટે આવતા કોલ પર નજર કરીએ તો મહત્તમ રેસ્ક્યુના કોલ સાંજે નોંધાયા હતા. 

જેની પાછળના કારણ અંગે વાત કરતા ફોરેસ્ટ અધિકારી દિપક ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરીજનો ઉત્તરાયણમાં પણ સાંજે ફટાકડા ફોડે છે ત્યારે તેના કારણે પણ અનેક પક્ષીઓ ડરના મારે પોતાના માળામાંથી બહાર ઉડવા લાગતા હોય છે અને પતંગની લટકતી દોરીઓમાં ફસાતા હોવાથી ઇજાગ્રસ્ત થતા હોય છે. પરંતુ ઇજાગ્રસ્ત પક્ષીઓની ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સંખ્યા ઘટતા શહેરીજનોની સમજદારીને પણ તેઓએ બિરદાવી હતી. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન પક્ષી બચાવવા ચલાવાઈ રહ્યું છે કેમ્પઈન. છેલ્લા 5 દિવસમાં રેસ્ક્યુ માટે 1283 કોલ આવ્યા, 102 પક્ષીઓના મોત નિપજ્યા જ્યારે 1181 પક્ષીઓને સારવાર અપાઈ

* 10 જાન્યુઆરીએ 76 કોલ રેસ્ક્યુના આવ્યા, જેમાથી 1 પક્ષીનું મોત નીપજ્યું
* 11 જાન્યુઆરીએ 148 કોલ રેસ્ક્યુના આવ્યા, જેમાથી 17 પક્ષીઓના મોત નિપજ્યા
* 12 જાન્યુઆરીએ 151 કોલ રેસ્ક્યુના આવ્યા, જેમાથી 5 પક્ષીઓના મોત નિપજ્યા
* 13 જાન્યુઆરીએ 199 કોલ રેસ્ક્યુના આવ્યા, જેમાથી 19 પક્ષીઓના મોત નિપજ્યા
* 14 જાન્યુઆરીએ 709 કોલ રેસ્ક્યુના આવ્યા, જેમાથી 60 પક્ષીઓના મોત નિપજ્યા અને 649 પક્ષીઓને સારવાર આપવામાં આવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news