કોણ ખાઈ જાય છે ગુજરાતમાં ગરીબોનું અનાજ? હવે આ જગ્યાથી ઝડપાયો લાખોનો મુદ્દામાલ

રાજકોટ રૂરલ એસઓજીએ બાતમીના આધારે શંકાસ્પદ 14 ટન ચોખા અને ઘઉં ભરેલી મિનિ ટ્રક સાથે ચાલકને પકડી લઈ ફૂલ રૂ.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ આદરી છે. સરકારી અનાજ હોવાની શંકાને આધારે પોલીસે પુરવઠા વિભાગની મદદથી તપાસ શરૂ કરી છે. 

કોણ ખાઈ જાય છે ગુજરાતમાં ગરીબોનું અનાજ? હવે આ જગ્યાથી ઝડપાયો લાખોનો મુદ્દામાલ

ગૌરવ દવે/રાજકોટ: વિંછીયા નજીક પાળીયાદ રોડ ઉપરથી રાજકોટ રૂરલ એસઓજીએ બાતમીના આધારે શંકાસ્પદ 14 ટન ચોખા અને ઘઉં ભરેલી મિનિ ટ્રક સાથે ચાલકને પકડી લઈ ફૂલ રૂ.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ આદરી છે. સરકારી અનાજ હોવાની શંકાને આધારે પોલીસે પુરવઠા વિભાગની મદદથી તપાસ શરૂ કરી છે. 

  • વીંછીયામાં શંકાસ્પદ અનાજ કૌભાંડ..
  • સરકારી અનાજ હોવાની પોલીસને શંકા..
  • પુરવઠા વિભાગની સાથે રાખી 12 લાખનો મુદ્દામાલ કબ્જે..

વિંછીયા નજીક પાળીયાદ રોડ ઉપરથી થી અનાજનો મોટો જથ્થો જવાનો હોવાની પોલીસને માહિતી મળી હતી. એસઓજીનો સ્ટાફ વિંછીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. ત્યારે જ શંકાસ્પદ નીકળેલા મીની ટ્રકને અટકાવી ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મેલા ભીખાભાઈ આલગોતર હોવાનું જણાવ્યું હતું. 

મીની ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી ચોખાની 231 અને ઘઉંની 40 બોરી મળી કુલ રૂ. 4.36 લાખનો 14.5 ટન અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જે શંકાસ્પદ જણાતા પુરવઠા અધિકારીને આ અંગે જાણ કરી કાર્યવાહી કરાઈ હતી. પોલીસે અનાજ ઉપરાંત મીની ટ્રક સહિત કુલ રૂ.12.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે જણાવ્યું કે મીની ટ્રક ચાલક મેલા આલગોતરને પોતાની ટ્રક છે. 

આ શંકાસ્પદ અનાજનો જથ્થો વીંછીયાના મનસુખ તલસાણીયા વાળાએ બાવળા મોકલવા કહ્યું હતું. મેલા અલગોતરે પ્રતિ ટન રૂ. 800નું ભાડુ નક્કી કર્યું હતું. જે મુજબ કુલ ભાડુ રૂ. 11,200 નક્કી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય બાબત છે કે, અગાઉ પણ મનસુખ તલસાણીયાના કહેવા પર ડ્રાયવર મેલા અલગોતર આ પ્રકારના ફેરા કરી ચુક્યો છે. 

પોલીસે શંકાસ્પદ અનાજનો જથ્થો વિંછીયાના સરકારી ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે. જથ્થો ક્યાંથી આવ્યો ક્યાં આપવાનો હતો આ જથ્થો સરકારી છે કે કેમ તે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી બાવળા અનાજનો જથ્થો પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે. હાલ પુરવઠા વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, મનસુખ તલસાણીયા રેશનિંગનું કોઈ જ લાયસન્સ ધરાવતો નથી જેથી આ અનાજનો જથ્થો લગભગ સરકારી હોવાનું નક્કી જ છે. જોકે પોલીસ તપાસમાં કેટલા નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news