GUJARAT CORONA UPDATE: અમદાવાદીઓ સાવધાન! ગોકળગતિએ વધી રહ્યા છે કોરોનાના કેસ, જાણો ગુજરાતમાં કુલ કેસ

બીજી તરફ હાલ કોરોનાના 99 કેસ એક્ટિવ છે. જો કે રાહતના સમાચાર છે કે, એક પણ નાગરિક વેન્ટીલેટર પર નથી. 99 નાગરિકો સ્ટેબલ છે. 12,13,234 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10,943 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.

GUJARAT CORONA UPDATE: અમદાવાદીઓ સાવધાન! ગોકળગતિએ વધી રહ્યા છે કોરોનાના કેસ, જાણો ગુજરાતમાં કુલ કેસ

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના આંકડા ફરી એકવાર ગોકળગતિએ આગળ વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 19 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 13 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,234 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે ગુજરાતનો કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકા સુધી પહોંચી ચુક્યો છે. આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં કોરોનાની કુલ 1,23,967 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

બીજી તરફ હાલ કોરોનાના 99 કેસ એક્ટિવ છે. જો કે રાહતના સમાચાર છે કે, એક પણ નાગરિક વેન્ટીલેટર પર નથી. 99 નાગરિકો સ્ટેબલ છે. 12,13,234 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10,943 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 11 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 05, આણંદમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 એમ કુલ 19 કેસ નોંધાયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1226 નાગરિકોને રસીનો પ્રથમ અને 13085 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 409 ને રસીનો પ્રથમ અને 4377 નાગરિકોને રસીનોબીજો ડોઝ અપાયો હતો. 12370 ને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા.  12-14 નાગરિકો પૈકી 20716 ને રસીનો પ્રથમ જ્યારે 71784 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 1,23,967 કુલ રસીના ડોઝ અપાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news