VADODARA: કરજણમાં લગ્નનાં બીજા જ દિવસે સંક્રમિત યુવકનું મોત, મહેંદી ઉતરે તે પહેલા સિંદુર ભુંસાયું

કોરોના મહામારીમાં અનેક પરિવારોના માળા ફરી એકવાર વિખેરાઇ ગયા છે, ત્યારે વડોદરા નજીક કરજણમાં કોરોનાને કારણે નવયુગલોનો સંસાર માત્ર 13 દિવસમાં જ માળો વિખેરાઇ ગયો હતો. દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે. કરજણના યુવકનો કોરોનો રિપોર્ટ  પોઝિટિવ આવ્યો હતો. આ નવ યુગલ સંસાર માંડે તે પહેલા જ માળો વિખેરાઇ ગયો હતો. 

VADODARA: કરજણમાં લગ્નનાં બીજા જ દિવસે સંક્રમિત યુવકનું મોત, મહેંદી ઉતરે તે પહેલા સિંદુર ભુંસાયું

વડોદરા : કોરોના મહામારીમાં અનેક પરિવારોના માળા ફરી એકવાર વિખેરાઇ ગયા છે, ત્યારે વડોદરા નજીક કરજણમાં કોરોનાને કારણે નવયુગલોનો સંસાર માત્ર 13 દિવસમાં જ માળો વિખેરાઇ ગયો હતો. દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે. કરજણના યુવકનો કોરોનો રિપોર્ટ  પોઝિટિવ આવ્યો હતો. આ નવ યુગલ સંસાર માંડે તે પહેલા જ માળો વિખેરાઇ ગયો હતો. 

વડોદરાના કરજણ તાલુકાના એક યુવકનાં મે માસના પ્રથમ સપ્તાહમાં લગ્ન થયા હતા. સોનેરી સ્વપ્નો સાથે બંન્ને સંસાર શરૂ કર્યો હતો. પહેલા લગ્નનાં બીજા દિવસે યુવકને શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં વેન્ટિલેટર પર તેની સારવાર ચાલી રહી હતી. જો કે 13 દિવસ સુધી સારવાર દરમિયાન ગોત્રી કોવિડ હોસ્પિટલનાં બિછાને જયેશે અંતિમ શ્વાસ લીધા હતા. 

અખંડ સૌભાગ્યવતીના આશિર્વાદ લઇને આવેલી યુવતીને અવસાનના સમાચાર મળતા જ તે સ્તબ્ધ બની ગઇ હતી. પરિવારમાં પણ શોકની લાગણી પ્રસરી હતી. યુવતીના હાથમાંથી લગ્નની મહેંદી ઉતરે તે પહેલા જ સેથીનો સિંદુર ભુસાઇ ગયો હતો. હાલ તો આ કિસ્સો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે ચર્ચાનો વિષય બનવા ઉપરાંત દુખની લાગણી પણ જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news