કોડીનારઃ 16 વર્ષની યુવતીની છરીના ઘા મારી હત્યા કરાઈ, જંગલમાંથી મળી લાશ

આજે સવારે આ યુવતીનો મૃતદેહ તેના ઘરથી બે કિમી દૂર જંગલની ઝાડીમાંથી મળી આવ્યો હતો. 

 કોડીનારઃ 16 વર્ષની યુવતીની છરીના ઘા મારી હત્યા કરાઈ, જંગલમાંથી મળી લાશ

ગીરસોમનાથઃ કોડીનાર નજીક ઉના બાયપાસ પાસે યુવતીની મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી હતી. ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની અજાણ્યા શખ્સોએ હથિયારના 37 જેટલા ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ લાશ તેના ઘરથી બે કિમી દૂર જંગલની ઝાડીમાંથી મળી આવી હતી. પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ રિપોર્ટ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે બે શંકાસ્પદ યુવકોની પૂછપરછ શરૂ કરી છે. 

પ્રાપ્ત વિગત અનુસાર કોડીનારમાં રહેતા વિમલભાઇ ધનસુખભાઇ ઠકરારની ધોરણ-11માં અભ્યાસ કરતી પુત્રી વિમાંશી (ઉં.વ 16) ગતરાત્રે 8.30 થી 9 કલાક દરમિયાન ઘરે જાણ કર્યા વિના નિકળી ગઈ હતી. થોડા સમય બાદ પુત્રી ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ તેની કોઈ માહિતી ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને પરિવારજનોએ સવાર સુધી યુવતીને શોધી પરંતુ તેનો કોઈ પતો ન લાગ્યો હતો. આજે સવારે આ યુવતીનો મૃતદેહ તેના ઘરથી બે કિમી દૂર જંગલની ઝાડીમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસ અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસને થોડી દૂરથી એક બુક પણ મળી આવી છે. 

યુવતીના કોલ ડિટેઈલમાંથી જાણવા મળ્યું  કે, તેની સાથે અભ્યાસ કરતા યુવકોએ રાત્રે ઘરેથી બોલાવી હતી. બાળાના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. પોલીસે મૃતદેહને પ્રથમ કોડીનાર અને પછી જામનગર પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માટે ખસેડ્યો હતો. આ પહેલા આ બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાની ચર્ચા હતી પરંતુ વનવિભાગની ઈજાના ઘા જોઈને આ વાતને નકારી કાઢી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news