પોલીસ વાનમાં બેસેલા યુવરાજે આપ્યો મોટો સંકેત : આ તો શરૂઆત છે અંત બાકી છે, મારા પાંચ પાંડવો...

Yuvrajsinh On Dummy Kand : તોડકાંડ મામલે યુવરાજસિંહ જેલ હવાલે છે... કોર્ટમાં પહોંચતા પહેલાં યુવરાજે મોટી વાત કરી 

પોલીસ વાનમાં બેસેલા યુવરાજે આપ્યો મોટો સંકેત : આ તો શરૂઆત છે અંત બાકી છે, મારા પાંચ પાંડવો...

Bhavnagar News : ભાવનગર ડમી કાંડમાં યુવરાજસિંહને આજે કોર્ટમાં રજૂ કરવામા આવ્યો હતો. ત્યારે કોર્ટમાં રજૂ થતા પહેલાં યુવરાજસિંહે મોટું નિવેદન આપ્યું કે, આ તો શરૂઆત છે, અંત હજુ બાકી છે. સમય જવા દો પાંચ પાંડવો પણ આવશે. આગળ ઘણું બંધુ સામે આવશે. ઉલ્લેખનીય છે કે, તોડકાંડ મામલે યુવરાજસિંહને જેલ હવાલે કરવામાં આવ્યાં છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. 

ડમી કાંડ મામલે ઝડપાયેલા યુવરાજસિંહ જાડેજાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નીલમબાગ પોલીસ મથકમાં યુવરાજસિંહ જાડેજા સામે એક કરોડ રૂપિયાનો તોડ કર્યો હોવાનો ગુનો નોંધાયો છે. જેને લઇ તેના કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ પુરા થતા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. આઠમા એડિશનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં યુવરાજસિંહ જાડેજાને રજૂ કરવામાં આવ્યો હતો. સાથે ડમી કાંડ મામલે બીપીન ત્રિવેદી ઘનશ્યામ લાધવા તેમજ રાજુ ઉર્ફે આલ્ફાઝ પઠાણને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. 

મેં ખેસ નથી પહેર્યો એટલે મને ફસાવાય છે 
યુવરાજ સિંહ જાડેજાએ પૂર્વ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી સામે ગંભીર આરોપ લગાવ્યા છે. યુવરાજ સિંહ જાડેજેએ પૂર્વ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવા માંગ કરી. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે પૂર્વ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવામાં આવે અને જિતુ વાઘાણીથી પણ પૂછપરછ કરવામાં આવે.. યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ અધ્યક્ષ અસિત વોરા સામે પણ આક્ષેપો કર્યા છે. યુવરાજસિંહ જાડેજાએ અસિત વોરાના નામનું સમન્સ બહાર પાડવા પણ માગ કરી છે. યુવરાજસિંહે કહ્યું છે કે મારી પાસે 30 લોકોના નામની યાદી છે અને હું પોલીસ પૂછપરછમાં નામ 30 લોકોના નામ આપીશ. યુવરાજ સિંહે કહ્યું કે મે ભાજપનો ખેસ નથી પહેર્યો એટલે મને ફસાવવામાં આવી રહ્યું છે.  

છ આરોપીઓની ધરપકડ
ડમી કાંડ મામલે અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ જાડેજા, તેના સાળા કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને અલ્ફાઝખાન ઉર્ફે રાજુ સામે ગુનો નોંધાયા બાદ પોલીસ તમામની ધરપકડ કરી ચૂકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news