અનિંદ્રાથી લઈ ખરાબ મૂડની સમસ્યાને દુર કરશે જાયફળ, તુરંત ફાયદો મેળવવા આ રીતે કરવો ઉપયોગ

Health Tips: જાયફળનો ઉપયોગ રસોઈમાં અને ખાસ કરીને વિવિધ મીઠાઈમાં કરવામાં આવે છે. જાયફળ વાનગીમાં સ્વાદ અને સુગંધ વધારે છે. સોપારી જેવી દેખાતી આ વસ્તુ સ્વાસ્થ્ય પણ સુધારે છે. જાયફળનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનિંદ્રા, ખરાબ મૂડ જેવી સમસ્યાને દવા વિના દુર કરી શકાય છે. 

અનિંદ્રાથી લઈ ખરાબ મૂડની સમસ્યાને દુર કરશે જાયફળ, તુરંત ફાયદો મેળવવા આ રીતે કરવો ઉપયોગ

Health Tips: જાયફળ સોપારી જેવો દેખાતો મસાલો છે. તેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. વાનગીઓને મસાલેદાર બનાવવા માટે જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે. જાયફળમાં ઘણા એવા પોષક તત્વો પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. ખાસ કરીને તો જાયફળ ખરાબ મૂડને સુધારવામાં મદદ કરે છે. સાથે જ જે લોકોને ઊંઘની સમસ્યા હોય તેમને પણ જાયફળ ઉપયોગી છે. જાયફળના ઉપયોગથી તમે દાંત ની સમસ્યાથી લઈને ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ જાયફળના હેલ્થ બેનિફિટ્સ વિશે.

જાયફળના ફાયદા

આ પણ વાંચો:

- જો તમને દાંત સંબંધિત કોઈ સમસ્યા હોય તો જાયફળ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના માટે જાયફળના તેલનો ઉપયોગ કરી શકાય છે.તેનાથી મોઢામાં વધતા બેક્ટેરિયા દૂર થાય છે.

- જાયફળનું સેવન કરવાથી ખરાબ મૂડ સુધરે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે જાયફળમાં એન્ટી ડિપ્રેશન્ટ ગુણ હોય છે. એટલે કે જાયફળનું સેવન કરવાથી ખરાબ મૂડ સુધરી જાય છે.

- આજના સમયમાં લાઈફ સ્ટાઈલના કારણે ઘણા લોકોને રાત્રે બરાબર ઊંઘ આવતી નથી. આવી સમસ્યામાં જાયફળનું સેવન દૂધ સાથે કરવાથી ગાઢ ઊંઘ આવે છે.

કેવી રીતે કરવો જાયફળનો ઉપયોગ ?

સ્વાસ્થ્ય લાભ માટે જાયફળને તમે ચા અથવા તો ગરમ દૂધમાં ઉમેરીને પી શકો છો. આ સિવાય તમે જાયફળને કેટલાક શાકમાં પણ ઉમેરી શકો છો. સવારના સમયે નાસ્તામાં ઓટ મીલ કે અન્ય ફ્રુટ્સમાં પણ જાયફળનો પાવડર છાંટીને ખાઈ શકાય છે

(Disclamer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news