Pawan Khera: કોંગ્રેસના દિગ્ગજ નેતાની ધરપકડ, કોર્ટની મંજૂરી બાદ અસમ લઈ જવાશે

એએનઆઈના જણાવ્યાં મુજબ અસમ પોલીસના આઈજીપી L&O એ કહ્યું કે અસમના દીમા હસાઓ જિલ્લાના હાફલોંગ પોલીસ મથકમાં કોંગ્રેસ નેતા પવન ખેડા વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. આ કેસ મામલે પવન ખેડાને રિમાન્ડમાં લેવા માટે અસમ પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ. 

Pawan Khera: કોંગ્રેસના દિગ્ગજ નેતાની ધરપકડ, કોર્ટની મંજૂરી બાદ અસમ લઈ જવાશે

Pawan Khera: કોંગ્રેસના નેતા પવન ખેડાની દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. પવન ખેડા કોંગ્રેસના નેતાઓ સાથે રાયપુરમાં થનારા કોંગ્રેસ અધિવેશનમાં શામેલ થવા માટે ઈન્ડિગો ફ્લાઈટથી રવાના થવાના હતા. અચાનક ત્યારે જ દિલ્હી એરપોર્ટ પર અસમ પોલીસે પવન ખેડાની ધરપકડ કરી લીધી. તેમને રિમાન્ડ પર લેવા માટે જલદી કોર્ટમાં રજૂ કરાશે. કોંગ્રેસે ગુરુવારે આ પહેલા આરોપ લગવ્યો કે તેના મીડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાને રાયપુર જનારી ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા અને ત્યારબાદ કોંગ્રેસ નેતાએ દિલ્હી એરપોર્ટ પર ધરણા ધર્યા. 

એએનઆઈના જણાવ્યાં મુજબ અસમ પોલીસના આઈજીપી L&O એ કહ્યું કે અસમના દીમા હસાઓ જિલ્લાના હાફલોંગ પોલીસ મથકમાં કોંગ્રેસ નેતા પવન ખેડા વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. આ કેસ મામલે પવન ખેડાને રિમાન્ડમાં લેવા માટે અસમ પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ. 

થોડીવારમાં કોર્ટમાં થશે રજૂ
અસમ પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ પવન ખેડા વિરુદ્ધ અસમના એક વ્યક્તિએ પ્રધાનમંત્રીના પિતાને લઈને કરાયેલી ટિપ્પણી મામલે એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ અસમ પોલીસે દિલ્હી પોલીસનો સંપર્ક સાધ્યો છે. અસમ પોલીસ થોડીવારમાં પવન ખેડાને સ્થાનિક કોર્ટમાં રજૂ કરશે. 

આ અગાઉ દિલ્હી પોલીસે કહ્યું હતું કે અસમ પોલીસે તેમને રોકવા માટે ભલામણ કરી હતી ત્યારબાદ કોંગ્રેસ નેતા પવન ખેડાને દિલ્હી એરપોર્ટ પર પ્લેનમાંથી ચઢતા રોકવામાં આવ્યા હતા. 

— ANI (@ANI) February 23, 2023

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં 3 વાગે સુનાવણી પણ છે. 

પવન ખેડાએ શું કહ્યું?
પવન ખેડાએ કહ્યું કે મને કહેવામાં આવ્યું કે તમારા સામાનને લઈને કઈક સમસ્યા છે. જ્યારે મારી પાસે તો ફક્ત એક હેન્ડબેગ છે. જ્યારે ફ્લાઈટથી નીચે ઉતર્યો તો જણાવવામાં આવ્યું કે તમે જઈ શકશો નહીં. ત્યારબાદ કહેવામાં આવ્યું કે તમને DCP મળશે. હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છું. નિયમ, કાયદો અને કારણોનો કોઈ અતોપત્તો નથી. 

અશોક ગેહલોતે સાધ્યું નિશાન
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પવન ખેડાને વિમાનમાંથી નીચે ઉતારવાની ટીકા કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દિલ્હીથી રાયપુર કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા જઈ રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડ઼ાને અસમ પોલીસે ફ્લાઈટમાંથી નીચે ઉતારી દીધા. એવી તે કઈ ઈમરજન્સી હતી કે અસમ પોલીસે દિલ્હી આવીને આ કૃત્ય કર્યું? પહેલા રાયપુરમાં ઈડીના દરોડા અને હવે આવું કૃત્ય ભાજપની બોખલાહટ દર્શાવે છે. આ નિંદનીય છે. 

પાર્ટી પ્રવક્તા સુપ્રીયા શ્રીનેતે સવાલ કર્યો કે કયા આધાર પર પવન ખેડાને નીચે ઉતારવામાં આવ્યા અને દેશમાં કાયદાનું કોઈ રાજ છે કે નહીં. 

બીજી બાજુ ઈન્ડિગોએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે એક મુસાફરને પોલીસે દિલ્હી એરપોર્ટ પર રાયપુર જતી ફ્લાઈટમાંથી ઉતાર્યા. કેટલાક અન્ય મુસાફરોએ પણ પોતાની મરજીથી ઉતરવાનો નિર્ણય લીધો. અમે સંબંધિત અધિકારીઓની સલાહનું પાલન કરી રહ્યા છીએ. ફ્લાઈટમાં હજુ વાર છે. એવું કહેવાય છે કે આ ઘટના ઈન્ડિગોની ફ્લાઈટ 6 ઈ024માં ઘટી. અને વિરોધમાં કોંગ્રેસના અનેક નેતાઓ વિમાનમાંથી નીચે ઉતરી ગયાઅને વિમાન હજુ ઊભુ છે. 

નોંધનીય છે કે કોંગ્રેસ નેતા પવન ખેડાએ તાજેતરમાં પીએમ મોદી પર એક વિવાદિત ટિપ્પણી કરી હતી. ભાજપે આ ટિપ્પણીની કડક શબ્દોમાં ટીકા કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news