Chandra Grahan 2022: ચંદ્ર ગ્રહણ દરમિયાન કરી લો આ ચમત્કારી મંત્રનો જાપ, પુરી થશે મનની તમામ ઇચ્છાઓ

Chandra Grahan Mantra Jaap: જો તમે તમારા જીવનમાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો અને આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માંગો છો, તો ચંદ્ર ગ્રહણ દરમિયાન બતાવવામાં આવેલા કેટલાક મંત્રોના જાપથી તેનાથી રાહત મળી શકે છે. કહેવાય છે કે ગ્રહણ કાળમાં મંત્ર જલદી સિદ્ધ થાય છે. 

Chandra Grahan 2022: ચંદ્ર ગ્રહણ દરમિયાન કરી લો આ ચમત્કારી મંત્રનો જાપ, પુરી થશે મનની તમામ ઇચ્છાઓ

Powerful Mantra During Chandra Grahan 2022: ધાર્મિક માન્યતાઓના અનુસાર ગ્રહણની ઘટનાને અશુભ ગણવામાં આવે છે. અત: આ દરમિયાન કોઇપણ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની મનાઇ હોય છે. ગ્રહણનો પ્રભાવ જીવજંતુઓથી માંડીને માનવજાતિ પર પ્રભાવ પણ પડે છે. 8 નવેમ્બર 2022 મંગળવારના દિવસે વર્ષનું બીજું અને અંતિમ ચંદ્ર ગ્રહણ લાગવા જઇ રહ્યું છે. ચંદ્ર ગ્રહણ કોઇપણ મહિનના પૂર્ણિમાની તિથિના દિવસે જ લાગે છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણ દરમિયાન ઘણી વસ્તુઓની મનાઇ હોય છે. આ સમય ફક્ત ભગવાનનું સ્મરણ કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ શાસ્રમાં કેટલાક ચમત્કારી અને શક્તિશાળી મંત્રોના જાપના વિશે જણાવવામાં આવ્યું છે, જેનો જાપ કરવાથી વ્યક્તિની તમામ સમ્સ્યાઓ છૂમંતર થઇ જશે. 

ચંદ્ર ગ્રહણ દરમિયાન કરો આ મંત્રોનો જાપ

1. શત્રુઓથી મુક્તિ માટે બગલામુખી મંત્રીનો જાપ કરવો ઉત્તમ રહે છે. 
ॐ ह्लीं बगलामुखी देव्यै सर्व दुष्टानाम वाचं मुखं पदम् स्तम्भय जिह्वाम कीलय-कीलय बुद्धिम विनाशाय ह्लीं ॐ नम:.

2. જો તમે કોઇ મુશ્કેલીમાં મુકાયેલા છો, અને તેને જીતવા માંગો છો તો આ મંત્રનું ઉચ્ચારણ કરવું સર્વોત્તમ ઉપાય છે. 
ॐ ह्लीं बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं पदं स्तंभय जिह्ववां कीलय बुद्धि विनाशय ह्लीं ओम् स्वाहा।। इस मंत्र में ‘सर्वदुष्टानां’ के स्थान पर उस व्यक्ति का नाम लें, जिससे छुटकारा पाना चाहते हैं.

3. કહેવાય છે કે ગ્રહણ દરમિયા કરવામાં આવેલા જાપ જલદી જ સિદ્ધ થાય છે. એજ રીતે ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવામ આ મંત્રનું ઉચ્ચારણ કરો. 
ॐ श्रीं ह्रीं क्लीं ऐं ॐ स्वाहा:.

4. ચંદ્ર ગ્રહણ દરમિયાન મંત્રના ઉચ્ચારણથી વાક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. 
ॐ ह्लीं दुं दुर्गाय: नम:.

5. નોકરી અને વેપારમાં વૃદ્ધિ માંગો છો તો ચંદ્ર ગ્રહણ દરમિયાન આ મંત્રનું ઉચ્ચારણ કરો. 
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद-प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नम:.

માનસિક શાંતિ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી કરો આ મંત્રોનો જાપ
6. ॐ ऐं क्लीं सौमाय नामाय नम:.

7. ॐ सों सोमाय नमः.

8. ॐ शीतांशु, विभांशु अमृतांशु नम:.

9. ॐ श्रां श्रीं श्रौं सः चन्द्रमसे नमः.

10. ॐ चं चंद्रमस्यै नम:.

(Disclaimer: અહીં આપવામાં આવેલી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news