દશેરામાં 999 રૂપિયામાં હવાઇ યાત્રા, 19 શહેરોમાં ગમે ત્યાં કરી શકો છો મુસાફરી

બજેટ કેરિયર Go Airએ 999 રૂપિયામાં હવાઇ યાત્રાનો સેલ શરૂ કર્યો, આ સેલ 8 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે

દશેરામાં 999 રૂપિયામાં હવાઇ યાત્રા, 19 શહેરોમાં ગમે ત્યાં કરી શકો છો મુસાફરી

નવી દિલ્હી : બજેટ કેરિયર GOAIRએ 999 રૂપિયામાં હવાઇ મુસાફરીનો સેલ ચાલુ કર્યો છે. આ સેલ 8 ઓક્ટોબર, 2018થી ચાલુ થઇ ચુક્યો છે અને 9 ઓક્ટોબર 2018 સુધી ચાલશે. જેના હેઠળ યાત્રા 10 ઓક્ટોબર 2018થી 31 ઓક્ટોબર 2018 સુધી ચાલશે. ગોએરની વેબસાઇટ અનુસાર એરલાઇન ફેસ્ટિવ સીઝનનો ફાયદો ગ્રાહકોને પણ મળે અને પોતાને પણ મળે તેવુ ઇચ્છે છે. 999 રૂપિયાની ઓફર બાગડોગરાથી યાત્રા કરવા માટે છે. 

કઇ રીતે કરવું બુકિંગ
આ ઓફરનો લાભ લેવા માટે તમે https://www.goair.in/ પર ક્લિક કરો. વેબસાઇટ પર જે શહેરોની યાદી આપવામાં આવી છે, તેમાં ગમે ત્યાં જવા માટે તમે તુરંત જ બુકિંગ કરાવી શકો છો.

શું છે નિયમ અને શરતો
- ગો એર નેટવર્કની તમામ ફ્લાઇટ્સ પર આ ઓફર લાગુ થશે. 
- ટિકિટ બુકિંગ પહેલા આવો અને પહેલા મેળવોના આધારે રહેશે.
- ગ્રુપ બુકિંગ કરનારા લોકોને આ ઓફરનો લાભ નહી મળે.
- અલગ અલગ રૂટ પર અલગ અલગ ભાડુ હશે
- ઓફર હેઠળ માત્ર વનવે ટ્રીપ જ મળશે.

આ રૂટ પર મળી રહી છે સસ્તી ટીકિટ
- મુંબઇ, અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહાટી, દિલ્હી, પટના, બેંગ્લુરૂ, કોલકાતા, લખનઉ, હૈદરાબાદ, પુણે, જયપુર, ગોવા, ચેન્નાઇ, ચંડીગઢ, શ્રીનગર, કોચ્ચિ, નાગપુર અને રાંચી રૂટ પર ટિકિટ 999 રૂપિયાથી માંડીને 1999 રૂપિયા સુધીની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news