EXCLUSIVE: ' જસ્ટિસ બોબડેને મેં મારું માથું આપી દીધું, દોરડું પણ આપી દીધું'

અયોધ્યામાં શ્રી રામ મંદિર પર ઐતિહાસિક ચુકાદો આપનાર દેશના પૂર્વ CJI અને રાજ્યસભા સાંસદ જસ્ટિસ રંજન ગોગોઈ ફરી ચર્ચામાં છે. તેનું કારણ તેમની આત્મકથા 'જસ્ટિસ ફોર ધ જજ' છે.

EXCLUSIVE: ' જસ્ટિસ બોબડેને મેં મારું માથું આપી દીધું, દોરડું પણ આપી દીધું'

નવી દિલ્હીઃ અયોધ્યામાં શ્રી રામ મંદિર પર ઐતિહાસિક ચુકાદો આપનાર દેશના પૂર્વ CJI અને રાજ્યસભા સાંસદ જસ્ટિસ રંજન ગોગોઈ ફરી ચર્ચામાં છે. તેનું કારણ તેમની આત્મકથા 'જસ્ટિસ ફોર ધ જજ' છે. આમાં તેણે અયોધ્યાના ચુકાદા, ન્યાયતંત્ર, યૌન શોષણ અને સરકાર સાથેના સંબંધો વિશે ખુલ્લેઆમ ઘણી વાતો લખી છે. ઝી ન્યૂઝના એડિટર-ઈન-ચીફ સુધીર ચૌધરીએ જસ્ટિસ ગોગોઈનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ લીધો હતો. આ ઇન્ટરવ્યુના હાઇલાઇટ્સ છે:

સુધીર ચૌધરી: તમે 18 વર્ષ સુધી માય લોર્ડ રહ્યા અને માય લોર્ડથી મિસ્ટર ગોગાઇની આ સફર છે. હવે લોકો તમને મિસ્ટર ગોગાઇ, સાંસદ ગોગાઇ કહે છે તો આ સફર કેવી રહી?

જસ્ટિસ ગોગોઈઃ આ પહેલીવાર છે જ્યારે કોઈ પત્રકારે મને આ પ્રશ્ન પૂછ્યો છે. જોકે સુધીરજી, હું ટીવીમાં ઓછો આવું છું પણ પુસ્તક લખ્યા પછી મેં બે-ત્રણ ટીવી ઈન્ટરવ્યુ આપ્યા છે. તેનું કારણ એ છે કે હું પુસ્તકને પબ્લિક ડોમેનમાં લાવ્યો છું. ઘણી વસ્તુઓને પબ્લિક ડોમેનમાં લાવવામાં આવી હતી અને ઘણા લોકોને પ્રશ્નો હોઈ શકે છે. તેથી તમારા માધ્યમ દ્વારા પ્રશ્નોના જવાબ આપવાનું મારું કર્તવ્ય છે. પરંતુ ઘણા ઇન્ટરવ્યુંમાં શરૂ કરે છે અયોધ્યા કે રાફેલ, જાતીય સતામણી, રાજ્યસભા. તમે પ્રથમ છો, જેમણે કહ્યું કે તમારા જીવનનો તબક્કો કેવો રહ્યો. હું આ પ્રશ્ન માટે ખૂબ આભારી છું.

સુધીર ચૌધરી: આભાર સર, અમે તમને વધુ સારી રીતે જાણવા માંગીએ છીએ અને જ્યારે તમે એક માય લોર્ડથી આ જીવનમાં પ્રવેશો છો, ત્યારે તે પણ એક બદલાવ આવ્યો હશે, જે તમે પણ અનુભવ્યો હશે.

જસ્ટીસ ગોગાઇ: મારા પુસ્તકમાં બેક સાઇડ પર લખ્યું છે સુધીરજી. અહીંયા લખ્યું છે essentially a family man is something about wanting, who has also kept a low profile away from the limelight.

સુધીર ચૌધરી: અને આજે તમે લાઇમ લાઇટમાં છો. 

જસ્ટિસ ગોગોઈઃ માત્ર માય લોર્ડ કહેવાથી લાઈમલાઈટ થતી નથી. માય લોર્ડના 18-19 વર્ષના કાર્યકાળ દરમિયાન મેં ખૂબ જ સાદું પારિવારિક જીવન જીવ્યું છે અને હવે માય લોર્ડ દૂર થાય તો મને કોઈ તકલીફ નથી. લોકોને મળવા, જાહેરમાં હાજરી આપવા, સભાઓમાં ભાષણ આપવાથી મને કોઈ તકલીફ નથી. મને તે ગમે છે કારણ કે હું લોકો વચ્ચે મુક્તપણે ચાલી શકું છું, તેમની સાથે વાત કરી શકું છું. આ જીવનનો એક તબક્કો છે. જીવનનો બીજો તબક્કો છે જે અલગ છે. આ જેટલું મહત્વનું છે, એટલું જ સારું છે.

સુધીર ચૌધારી: શું તમે પોતાને સ્વતંત્ર અનુભવી રહ્યા છો પોસ્ટ માય લોર્ડ ઇરામાં? 

જસ્ટીસ ગોગાઇ: ના આ કોઇ લિબરેટેડ ફીલિંગની વાત નથી. લિબરેટેડ તો હું હંમેશા હતો. જજ હતો ત્યારે પણ લિબરેટેડ હતા. અત્યારે પણ ફ્રી છે તો ઇંડિપેંડેંટ છે. આમ તો કંઇ ખાસ પરેશાની અને ફેરફાર મેં અનુભવ્યો નથી. 

સુધીર ચૌધરીઃ આજે મારી પાસે આ પુસ્તક છે. તમે તેનું શીર્ષક આપ્યું છે, જસ્ટિસ ફોર ધ જજ, હવે જજ તો આખી જિંદગી લોકોને ન્યાય આપે છે. તમે જીવનભર લોકોને ન્યાય આપ્યો છે અને તેના શીર્ષક પરથી લાગે છે કે હવે ન્યાયાધીશ કદાચ ન્યાય માંગી રહ્યા છે?

જસ્ટિસ ગોગાઈ: ના, ના... કોઈ ન્યાય માંગવામાં આવ્યો નથી. પુસ્તકમાં આ ડિસ્ક્રિપ્શન છે, પુસ્તક દ્વારા અમે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમારા ન્યાયાધીશોને બીજી રીતે જુઓ. તમારા ન્યાયાધીશોનો ન્યાય કરશો નહીં. ન્યાયાધીશને સરકારી નોકર કે રાજકારણી તરીકે ન જુઓ. આ ન્યાયાધીશની સ્થિતિ થોડી અલગ છે. ન્યાયાધીશની ખુરશીમાં બેસનારામાં શિસ્ત હોય છે. તેઓ બોલતા નથી. તમે ન્યાયાધીશની જેટલી પણ ટીકા કરશો. તેમના નિર્ણયોની ટીકા કરશો. તમે તેના ચુકાદા પર ગમે તેટલો કાદવ ફેંકો, તે બોલતો નથી. તે જવાબ આપતો નથી.

પરંતુ એક રાજકારણી જવાબ આપે છે. જાહેર ફોરમમાં જવાબ આપે છે. પરંતુ ન્યાયાધીશ મૌન રહે છે. આનો અર્થ એ છે કે તેઓ ન્યાયિક શિસ્તનું પાલન કરી રહ્યા છે, તમે તેનો ફાયદો ઉઠાવશો નહી. તમે નબળાઇ ન સમજો કે તમે ગમેતેમ બોલે જાવ કારણ કે જો તમે તેને યોગ્ય રીતે જોશો નહી તો તમે જજને તો નુકસાન કરી રહ્યા છો, તમે સંસ્થા અને ન્યાયતંત્રને પણ નુકસાન પહોંચાડી રહ્યા છો. આ પુસ્તકનો આ સંદેશ છે.

સુધીર ચૌધરી: તો હું એક નવો પ્રશ્ન ઉમેરી રહ્યો છું કારણ કે તમે આમ કહ્યું છે. શું તમે તમારા કાર્યકાળ દરમિયાન ક્યારેય આવું અનુભવ્યું છે? સમાચાર પત્રોમાં તમારા વિશે, તમારા નિર્ણયો પર છપાતું રહ્યું છે, ક્યારેક સારું અને ક્યારેક ખરાબ. મોટાભાગે ખરાબ કારણ કે મીડિયાનો સ્વભાવ પહેલા નેગેટિવ પોઇન્ટ્સને પકડવાનો છે, શું તમે ક્યારેય ગૂંગળામણ અનુભવી છે કે તમે કંઈપણ બોલી શકતા નથી?

જસ્ટિસ ગોગોઈ: ના એવું થયું નથી, જે કરવું તમારા માટે યોગ્ય નથી, તમે જે કરી શકતા નથી તેના વિશે વિચારવું ખોટું છે. ચુકાદાઓની ટીકા તંદુરસ્ત છે કારણ કે તે ન્યાયાધીશને શીખવાની તક આપે છે. કયા ચુકાદામાં શું ખૂટે છે તે જાણવું જરૂરી છે, that is how judges grow પરંતુ આજે મીડિયામાં જે કંઈ થઈ રહ્યું છે, આ પર્સનલ એટેક થઇ રહ્યા છે ઇંડિવિજ્યુઅલ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફલાણા જજે ફલાણું જજમેન્ટ આપ્યું, આ કારણે તે ખોટા છે. આ તફાવત છે બંનેનો. જો તમે ચુકાદાની ટીકા કરો છો, તો તે સિસ્ટમ માટે સારું છે, પરંતુ જો તમે ન્યાયાધીશની ટીકા કરો છો, તો તે સિસ્ટમ માટે સારું નથી.

સુધીર ચૌધરી: જસ્ટિસ ગોગાઇ, જજીસ સામાન્ય રીતે નિવૃતિ બાદ બુક પણ લખતા નથી.

જસ્ટિસ ગોગોઈઃ સુધીરજી, તમે કહ્યું કે હું મિસ્ટર ગોગોઈ બન્યો અને તમે મને જસ્ટિસ ગોગોઈ કહી રહ્યા છો, જુઓ 18 વર્ષની આદત. તમને કેટલી મુશ્કેલી થાય છે? અમારા માટે કોઈ મુશ્કેલી નથી. તમે મને ગોગોઈ કહીને બોલાવો, અમને ફર્સ્ટ નેમથી બોલાવો, અમને જસ્ટિસ કહીને બોલાવો, અમને તેનાથી કોઇ ફરક પડતો નથી.

સુધીર ચૌધરી: આઇ એમ ફીલિંગ લિબ્રેટેડ એક્ચુઅલી, રંજનજી અમે તમારી પાસેથી જાણવા માંગીએ છીએ કે ન્યાયાધીશો સામાન્ય રીતે પાછળથી પુસ્તકો પણ લખતા નથી પણ તમે તમારી આત્મકથા લખવાનું નક્કી કર્યું. તમે શા માટે નક્કી કર્યું કે તમે તમારી આત્મકથા લખશો અને તમારી કહાની લોકોને જણાવશો?

જસ્ટિસ ગોગોઈ: સુધીરજી મારા કાર્યકાળ દરમિયાન ઘણા મુદ્દાઓ પર, મારા જજમેંટ પર પણ ઘણી ચર્ચા થઈ અને આ ચર્ચા મારા હિસાબથી મિસ ઇન્ફોરમેશન, અર્ધ સત્ય અને ખોટા તથ્યો પર આધારિત હતી. આ પુસ્તક એવા લોકો માટે છે જેઓ સાચી હકીકતો જાણવા માંગે છે. જે લોકોના મત મુજબ તે મારા પક્ષને સાંભળે સાચા તથ્ય પહેલાંથી જ જાણે છે, આ પુસ્તક તેમના માટે નથી. આ પુસ્તક એવા લોકો માટે છે જેઓ સાચી હકીકતો જાણવા માગે છે, આ પુસ્તક તેમના માટે લખવામાં આવ્યું છે.

સુધીર ચૌધરી: તમે નથી જાણતા કે તમે તમારા જીવનમાં કેટલા ચુકાદાઓ આપ્યા હશે, તમે કેટલા લાંબા ચુકાદાઓ લખ્યા હશે તે ખબર નથી, પણ ચુકાદો લખવામાં અને પુસ્તક લખવામાં શું તફાવત છે અને તમારા માટે આ પરિવર્તન કેવું રહ્યું ? જજમેન્ટ પછી આ પુસ્તક જોવાનો તમારો અનુભવ કેવો હતો અને શું તમે તેને રીડર ફ્રેંડલી બનાવ્યો છે?

જસ્ટિસ ગોગોઈઃ મને ખબર ન હતી કે હું મારા પુસ્તક વાચકોને અનુકૂળ બનાવી શકીશ કે નહીં, મેં પ્રયત્ન કર્યો છે પણ તમે મારા પુસ્તકની છેલ્લી લાઇન જુઓ. મારા પુસ્તકની છેલ્લી લાઇન, પેજ નંબર નંબર 218, ધ લાસ્ટ સેંટેંસ 218 પેજ પર જુઓ હું તમને નિકાળીને આપું. 

સુધીર ચૌધરી: “this has been my life, this is my story there are many other secrets opinion and sentiments that I may or may not take to my grave, only time will tell.  

જસ્ટિસ ગોગોઈ: ચુકાદો લખવો સરળ છે કારણ કે ન્યાયાધીશનો કોઇ પક્ષ હોતો નથી, કોઈ અભિપ્રાય હોતો નથી, કોઈ અંગત સ્વાર્થ હોતો નથી. ફેક્ટ્સ પર કેસનો નિર્ણય તથ્યોના આધારે કરવામાં આવે છે. મારા મતે ચુકાદો આપવો સૌથી સહેલો છે પણ પુસ્તક અને ખાસ કરીને આત્મકથા જે મારા બાળપણથી શરૂ થાય છે, જે 1970 થી તો વર્ષને કોમ્પ્રેસ કરીને 200 પાનાકરવા. 14 વર્ષ જૂની ઘટનાઓ યાદ રાખવી. છેલ્લી લાઇન તમે વાંચીને સંભળાવી છે. તેમાં આખી વાર્તા છુપાયેલી છે, પુસ્તક લખવું કેટલું મુશ્કેલ છે. મે પુરા 100 દિવસ ના 100 સીક્રેટ્સ કે તથ્ય તમારી પાસે અત્યારે લાવ્યો નથી. ઘણા કારણો છે, ઘણા તથ્ય ક્યારેક બહાર આવશે કે નહી આવે, હું કહી ન શકું.

જસ્ટિસ ગોગોઈઃ એક ક્ષણ માટે પણ આ વાત ક્યારેય મનમાં આવવી જોઈએ નહીં. અમારા મગજમાં ક્યારેય એવું આવ્યું નથી, એ હું જાણતો નથી. અયોધ્યા કેસ બે પક્ષો વચ્ચેનો સિવિલ વિવાદ હતો.

સુધીર ચૌધરીઃ અયોધ્યા અંગે મારો છેલ્લો પ્રશ્ન એ હશે કે તમારો જે પણ નિર્ણય તેના પર રહ્યો હશે. તેને તમારા secularism ના ક્રિડેંશિયલ હતા, ધર્મનિરપેક્ષતાનો જે તમારો હતો તેના પર જરૂર ડેંટ લાગશે એમ લોકોએ કહ્યું અને તમે એક પક્ષ માટે નિર્ણય આપ્યો તો બીજો પક્ષ નારાજ. તમને એવું લાગ્યું કે તમે એક તરફ આ જે નિર્ણય આપ્યો, તેને લીધે ધર્મનિરપેક્ષતાને લઇને લોકોએ તમને ટાર્ગેટ બનાવ્યા અને એક ખાસ પાર્ટી જેને તમને મુદ્દો બનાવી રાખ્યો હતો. તેની સાથે તમારી નિકટતાને લઇને તેમને ઇશ્યૂ બનાવ્યો? 

જસ્ટિસ ગોગાઇ: કઇ પાર્ટી?

સુધીર ચૌધરી: ભાજપ

જસ્ટિસ ગોગોઈ: સુધીરજી, તમે જાણો છો કે હું એક રાજકીય પાર્ટી સાથે સંબંધ ધરાવું છું. મેં મારા ઘરમાં ધારાસભ્ય, મંત્રી, મુખ્યમંત્રી જોયા છે. મારી પાસે રાજકારણમાં જવાનો વિકલ્પ પણ હતો પરંતુ હું રાજકારણી બનવા માંગતો ન હતો. કોઇ સેકુલર એસ્પેક્ટ ઓફ ધ implication ઓફ જજમેંટ વિશે લોકો કહે છે. ઘણું બધુ કહે છે, દુખ થાય છે. મનમાં કષ્ટ થાય છે પરંતુ ઇન્ડીયાની વાઇબ્રેંટ ડેમોક્રેસી છે, તમે કંઇપણ બોલવા માટે સ્વતંત્ર છો. તમે વિચાર રાખવા માટે સ્વતંત્ર છો પરંર્તુ હું એક્સપ્રેસ કરવા માટે ફ્રી નથી કારણ કે હું જજ છું. 

સુધીર ચૌધરી: સાચું

જસ્ટિસ ગોગોઈ: તમે પત્રકાર છો કે મીડિયા પર્સન, તમે કંઈપણ બોલી શકો છો. જો તમે વકીલ હોવ તો પણ તમે કંઈપણ બોલી શકો છો. જો તમે કાર્યકર્તા છો, તો તમે ન્યાયાધીશને અપમાનિત કરો છો, સિસ્ટમની નિંદા કરો છો, પરંતુ અમારે મૌન રહેવાનું છે. તેથી જ અમે ચુકાદા પર ટિપ્પણી કરતા નથી, નિવૃત્તિ પછી મેં મારા પુસ્તકમાં લખ્યું છે રિટાયર્ડ જજ ડૂ નોટ ટોક અબાઉટ ધ જજમેન્ટ ધ ઓનલી એટેક ધ જજમેંટ. તમે જોશો કે રાફેલ મામલે રિટાયર્ડ જજની શું ટિપ્પણી આવી, અયોધ્યામાં રિટાયર્ડ જજોએ શું ટિપ્પણી કરી. તેથી જ મેં લાઇટર વેમાં કહ્યું કે નિવૃત જજ જજમેંટ પર કોમેન્ટ ન કરતાં તે ફક્ત બીજાને જજમેન્ટ પર એટેક કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news